સેન્ટ્રલ દિલ્હીના ફિલ્મિસ્તાન વિસ્તારમાં આગની મોટી ઘટના સામે આવી છે. આ ઘટનામાં 32 લોકોનાં મોત નિપજ્યાં છે. દિલ્હી પોલીસે આ વાતની પૃષ્ટિ કરી છે. આ ઘટના અનાજ માર્કેટમાં બની છે. 30 ગાડીઓ આગ પર કાબૂ મેળવવામાં કામે લાગી છે આગ પર કાબૂ મેળવી લીધો છે પરંતુ હજુ સુધી ઘણાં લોકે અંદર ફસાયેલા હોવાની જાણવા મળ્યું છે. હજુ સુધી 50 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે.
ફાયર બ્રિગેડના અધિકારીએ કહ્યું હતું કે, 50 લોકોને પહેલાં જ બહાર કાઢવામાં આવ્યા છે. શ્વાસ રૂંધાવાના કારણે 32 લોકોનાં મોત થયા છે. તેમને કહેવું છે કે, ગલી બહુ જ સાકળી છે આ માટે વધારે ગાડીઓ અંદર જઈ શકતી નથી. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. દિલ્હી-એનસીઆરમાં આગ લાગવાની ઘટનામાં આ સૌથી મોટી ઘટના છે.
નજરે જોનાર એક વ્યક્તિએ કહ્યું હતું કે, ફેક્ટરીમાં મોડી રાત સુધી કામ કર્યા બાદ લોકો આરામ કરી રહ્યા હતાં. આગ લાગ્યા બાદ ધૂમાડાથી શ્વાસ રૂંધાવા લાગ્યો ત્યાર બાદ તેઓએ બારીની બાજુમાં જઈને બુમાબુમ કરી મુકી હતી. જ્યારે આસપાસના લોકોએ પોલીસ અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી.
જે ફેક્ટરીમાં આગ લાગી છે ત્યાં બેગ બનાવવાનું કામ થતું હતું. પહેલા એક બિલ્ડીંગમાં આગ લાગી ત્યાર બાદ જોત જોતાંમાં બીજી બિલ્ડીંગમાં આગ લાગ હતી.
I played on this online casino site and succeeded a significant cash, but later, my mother fell sick, and I wanted to withdraw some earnings from my casino account. Unfortunately, I experienced difficulties and could not complete the withdrawal. Tragically, my mother passed away due to such online casino. I plead for your support in lodging a complaint against this website. Please assist me to obtain justice, so that others won’t undergo the hardship I am going through today, and prevent them from crying tears like mine. ???�