Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodસાસુમા જયા ને વહુ ઐશ્વર્યાના આ સંબંધોની વાત તમને નહીં જ ખબર...

સાસુમા જયા ને વહુ ઐશ્વર્યાના આ સંબંધોની વાત તમને નહીં જ ખબર હોય, અભિષેકે જાતે જ કર્યો ખુલાસો

મુંબઈઃ બોલિવૂડમાં સાસુ-વહુની જોડીઓ તો ઘણી છે, પરંતુ તેમના સંબંધો કેવા છે, એ અંગે ભાગ્યે જ કોઇ વાત બહાર આવતી હોય છે. તાજેતરમાં જ અભિષેક બચ્ચનનો એક જૂનો ઈન્ટરવ્યૂ વાયરલ થયો છે, જેમાં તે કહી રહ્યો છે કે તેની પત્ની ઐશ્વર્યા અને માતા જયા બચ્ચન વચ્ચે કેવા સંબંધો છે. ઉલ્લેખનીય છે કે, અભિષેકનો આ ઈન્ટરવ્યૂ 2015નો છે. આ વર્ષે અભિષેકની ત્રણ જેટલી ફિલ્મ્સ રિલીઝ થવાની છે. બોલિવૂડની ફેમસ જોડી એશ્વર્યા અને અભિષેકે 2007માં લગ્ન કર્યાં હતાં અને તેમને આરાધ્યા નામની એક દીકરી પણ છે.

આ ઈન્ટરવ્યૂમાં અભિષેકે જણાવ્યું હતું કે ઐશ્વર્યાની સાસુ જયા સાથે કેવી ટ્યૂનિંગ છે. ઈન્ટરવ્યૂમાં અભિષેકે કહ્યું હતું કે માતા અને એશ તેના વિરૂદ્ધમાં ગેંગ બનાવે છે અને બંને બંગાળીમાં જ બોલે છે.

બંગાળી ભાષા વિશે વાત કરતાં અભિષેકે કહ્યું હતું કે માતા બંગાળી છે એટલે એમને આવડે છે અને ઐશ્વર્યાએ બંગાળી ફિલ્મ ‘ચોખેર બાલી’માં કામ કર્યું છે એટલે તેને પણ બંગાળી આવડે છે. એટલે જ્યારે પણ આ બંને તેની વિરૂદ્ધમાં ટીમ બનાવે ત્યારે બંગાળીમાં બોલવાનું શરૂ કરી દે છે.

માત્ર અભિષેકે જ નહીં પણ જયા બચ્ચને પણ ઐશ્વર્યા માટે એક પત્ની, વહુ અને માતા તરીકે તે કેવી છે, તે અંગે વાત કરી હતી.

એક જૂના ઈન્ટરવ્યૂમાં જયાએ કહ્યું હતું કે ઐશ્વર્યા ખૂબજ સરસ છોકરી છે અને તેને તે પહેલાંથી જ ગમે છે. તે માત્ર સુંદર જ નથી પરંતુ તે પરિવારમાં એકદમ મિક્સ થઈ ગઈ છે.

ઐશ્વર્યા જે રીતે આરાધ્યાનો ઉછેર કરે છે, તેનાથી તે બહુ ખુશ છે. જયાએ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે વહુ ક્યારેય દીકરી આરાધ્યાને એકલી નથી છોડતી. તેના નહાવાથી લઈને ખાવા-પીવાની બધી જ વ્યવસ્થાનું જાતે જ ધ્યાન રાખે છે.

‘કોફી વિથ કરણ’માં જયાએ કહ્યું હતું કે આટલી મોટી સ્ટાર હોવા છતાં ઐશ્વર્યા પરિવાર સાથે બહુ સારી રીતે હળીમળી ગઈ છે અને બધી જ વસ્તુઓનું ધ્યાન રાખે છે.

જયા બચ્ચન વહુ ઐશ્વર્યાને માન આપે છે અને બધાં પાસેથી પણ એવી જ આશા રાખે છે કે તેઓ ઐશ્વર્યાને માન આપે. એકવાર એક મીડિયા કર્મીએ ઐશ્વર્યાને એશ-એશ કહીને બૂમ પાડી હતી તો જયા તેના પર ગુસ્સે થઈ ગઈ હતી અને કહ્યું હતુ કે એ તારી ક્લાસમેટ છે કે શું? પહેલાં પણ ઘણીવાર તે મીડિયા અને ફેન્સ પર ગુસ્સે થઈ ચૂક્યા છે.

તાજેતરમાં જ જયા તેમની માતાનો જન્મદિન ઉજવવા ભોપાલમાં ગઈ હતી. ત્યાં તેણે એરપોર્ટ સિક્યોરિટી પર ગુસ્સો ઠાલવ્યો હતો. જ્યારે એરપોર્ટ પરથી તે દીકરા અભિષેક, વહુ અને પૌત્રી આરાધ્યા સાથે પસાર થઈ રહી હતી ત્યારે સિક્યોરિટી પર ગુસ્સે થતાં કહ્યું હતું કે, સિક્યોરિટીવાળા પણ કંઈ ધ્યાન નથી રાખતા, કોઇપણ ધક્કો મારીને જતું રહે છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of wonder! ? The thrilling content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! #MindBlown Dive into this exciting adventure of imagination and let your mind roam! ? Don’t just enjoy, immerse yourself in the thrill! ? ? will thank you for this exciting journey through the realms of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page