22 દિવસ પહેલાં 84 વર્ષનાં ધર્મેન્દ્ર કરનાલ પોતાના નવા ઢાબાનું ઉદ્ઘાટન કરવા માટે ગયા હતા તેને મહાનગરપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા શુક્રવારે કરનાલ હાઈવે પર ગેરકાયદે રીતે નિર્માણ કરવામાં આવેલા બે ભવનોને સીલ કરી દેવામાં આવ્યા છે. જેમાં એક અન્ય બિલ્ડીંગની સાથે ધર્મેન્દ્રનું ઢાબુ પણ સામેલ છે. આ કાર્યવાહીમાં મામલતદાર કરનાલ રાજબક્શને ડ્યુટી મેજીસ્ટ્રેટ બનાવવામાં આવ્યા હતા. ઢાબાને સીલ કરવાની પ્રક્રિયા જેવી ચાલું કરવામાં આવી એવો તેનો ઘણો વિરોધ થયો હતો. પરંતુ મોટી સંખ્યામાં પોલીસબળે વિરોધ કરનારાઓને રોક્યા હતા. જોકે આ મામલે હજી સુધી ધર્મેન્દ્રની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
ધર્મેન્દ્ર 14 ફેબ્રુઆરીએ તેમના ઢાબાનું શુભારંભ કરવા માટે ગયા હતા. આ ઢાબું તેમના ગામની પાસે કરનાલ હાઈવે પર બનાવવામાં આવ્યું હતું. ધર્મેન્દ્રએ આ ઢાબાનું નામ ‘હી-મેન’ રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે, ફેસબુક ઉપર ધર્મેન્દ્રનું પેજ પણ ‘હી-મેન’નાં નામથી જ છે.
ડીસી તેમજ નિગમ આયુક્ત નિશાંત કુમાર યાદવનું કહેવું છે કે, હાઈવે પર ઘણાં ગેરકાયદે બાંધકામની સૂચના મહાનગરપાલિકાનાં ધ્યાનમાં આવી હતી. એવામાં બાંધકામને રોકવા માટે મહાનગરપાલિકા દ્વારા એક્ટોબર-નવેમ્બરમાં 7 ભવનનાં માલિકોને નોટિસ મોકલવામાં આવી હતી. નોટિસ આપ્યા બાદ પણ કોઈએ યોગ્ય રીતે જવાબ આપવાનું ઉચિત માન્યું ન હતું. તેના પરિણામ સ્વરૂપે તેમણે તેને સીલ કરવાનો નિર્ણય કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, 15 જાન્યુઆરીએ જે ઓર્ડર રજૂ કરવામાં આવ્યો તેમાં દરેક 7 ભવનોને સીલ કરવાની કાર્યવાહીનો અમલ કરવાનો હતો. પરંતુ 4 ભવનનાં માલિકો કોર્ટમાંથી સ્ટે ઓર્ડર લાવ્યા હતા. બાકીનાં ભવનનાં માલિકોએ નોટિસનો જવાબ આપવાને લઈને કોઈ કાર્યવાહી કરી ન હતી. એટલા માટે શુક્રવારે તેને સીલ કરવામાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મહાનગરપાલિકાનાં અધિકારીઓ જ્યારે ઢાબાને સીલ કરવા માટે ત્યાં પહોંચ્યા તો ત્યાંના સ્ટાફની સાથે તેમની મારપીટ થઈ હતી. જોકે, ધર્મેન્દ્રએ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
ઢાબાનાં શુભારંભનાં અવસર પર ધર્મેન્દ્રએ મીડિયા સાથે વાત કરી હતી. તે સમયે તેઓ ખુબ ઈમોશનલ થઈ ગયા હતા. તેમણે દેશનાં મહાન શહીદોને નમન કરતાં કહ્યું હતું કે, દેશની સેવાનાં જુસ્સાથી વધીને કશું જ નથી. તેઓ પોતે જો અભિનેતા ન બનતા તો આર્મીમાં જતાં અને દેશની સેવા કરતાં. પોતાના ચાહકોને પ્રેમ માટે આભાર વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, તેઓ જે કંઈ પણ છે તેમના પ્રેમનાં કારણે જ છે.
ધર્મેન્દ્રએ કહ્યું હતું કે, ખ્યાતિ અને મિલકતતો આવતી-જતી રહે છે. પરંતુ પ્રેમ હંમેશા દિલમાં વસે છે. દરેક માણસ સપનું જોવે છે. પરંતુ દરેકનાં સપના પુરા થતાં નથી. એક ગરીબ જાટ પરિવારમાં જન્મેલા ધર્મેન્દ્રએ સપનું જોયુ હતુ, એજ સપનું આંખોમાં લઈને મુંબઈ ગયા હતા.
ધર્મેન્દ્રએ કહ્યું હતું, ખેડૂત પરિવારમાંથી આવું છું તો હું ઈચ્છતો હતો કે, મુંબઈમાં પણ ખેતીની સુગંધનો અનુભવ થાય. આજ વિચારની સાથે લોનાવાલામાં ફાર્મહાઉસ બનાવ્યું છે.
અહીં સખત મહેનત કરી, ગાય-ભેંસ રાખી, ગોબર ઉઠાવું છું, ઘણીવાર ઘાસ ઉપર પણ સુઈ જાઉ છું, ખેતી કરું છું. મહારાષ્ટ્રની ધરતી પર ફુલાવર અને અન્ય પાકો ઉગાવી રહ્યો છું. તળાવ પણ બનાવી લીધું છે. હવે લાગ્યુકે, તેનાથી આગળ એક રેસ્ટોરન્ટ ખોલું, જેના દ્વારા દરેક લોકો સુધી સ્વાસ્થ્ય માટે બહુજ ફાયદાકારક ઓર્ગેનિક ખોરાક પહોંચાડી શકું, એટલા માટે આની શરૂઆત કરી છે.
? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of wonder! ? The captivating content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! ? Embark into this exciting adventure of knowledge and let your mind fly! ? Don’t just explore, immerse yourself in the thrill! ? Your brain will thank you for this exciting journey through the dimensions of endless wonder! ✨
Stellar, keep it up