નવી દિલ્હી: ગુરુવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે પાર્ટી ઓફિસમાં પાર્ટીના પદાધિકારીઓની એક મહત્વની બેઠક બોલાવી હતી. અમિત શાહે મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણને એક મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. અમિત શાહે શિવરાજને સભ્યપદ અભિયાનમાં વડા બનાવ્યાં છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શિવરાજ સિંહ ચૌહાણની આગેવાનીમાં પૂરા દેશમાં ભાજપના સભ્યપદ અભિયાનને આગળ વધારવામાં આવશે. જોકે તેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ બેઠકમાં કેટલાંક રાજ્યોની આગામી વિધાનસભાની ચૂંટણીની પણ ચર્ચા કરવામાં આવી હતી.
બિહાર અને યુપીમાં નવા પ્રદેશ ભાજપ અધ્યક્ષની રચના કરવામાં આવી છે જોકે તેને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. શિવરાજસિંહ ચૌહાણને સભ્યપદ અભિયાનના પ્રમુખ બનાવાયા હોવાથી તેમની અધ્યક્ષતા હેઠળ દેશમાં સભ્યપદ અભિયાનને આગળ વધારવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમિત શાહ હાલ પૂરતા ભાજપ અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે. રવિવારે પણ અમિત શાહે મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણામાં પાર્ટી યુનિટના સભ્યોની નિયુક્તિની ચર્ચા કરવા બેઠક હોલાવી હતી. પાર્ટીના નેતાએ કહ્યું કે સંગઠનની ચૂંટણીમાં ત્રણથી ચાર મહિનાનો સમય લાગી શકે છે. નવા અધ્યક્ષની પણ ચૂંટણી થવાની છે જોકે અધ્યક્ષ તરીકે અમિત શાહને ચાલુ રખાય તેવી પ્રબળ સંભાવના જોવા મળી રહી છે.
? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of excitement! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! #MindBlown ? into this cosmic journey of discovery and let your imagination roam! ? Don’t just explore, immerse yourself in the thrill! ? ? will thank you for this thrilling joyride through the worlds of endless wonder! ✨