Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalઘરમાં નથી એસી કે કૂલર છતા રહે છે ઠંડક, વરસાદના પાણીનો જ...

ઘરમાં નથી એસી કે કૂલર છતા રહે છે ઠંડક, વરસાદના પાણીનો જ થાય છે સંગ્રહ, જુઓ તસવીરો

દરેક લોકોનું પોતાનું ઘર બનાવવાનું સપનું હોય છે, પણ સસ્ટેનેબલ ઘર બનાવવું એક કલા છે. આવું માનવું છે બેંગલોરમાં રહેતા નેત્રાવતી જે.નું. 35 વર્ષીય નેત્રાવતી અને તેમના પતિ નાગેશ બંને એન્જિનિયર છે અને અલગ-અલગ કંપનીઓ સાથે કામ કરે છે. વર્ષ 2016માં આ દંપતિએ પ્રકૃતિને અનુરૂપ ઘર બનાવ્યું હતું. આજે અમે તમને તે ઘર વિશે જણાવી રહ્યા છીએ.

નેત્રાવતીએ જણાવ્યું કે, ‘વર્ષ 2011માં નાગેશ પોડિંચેરી ગયા હતા અને ત્યાં તેમણે પર્યાવરણને અનુરૂપ અને ટકાઉ ઘર બનાવવા અંગે જાણ થઈ હતી. આ પછી અમે એવું નક્કી કરી લીધું હતું કે, પોતાનું ઘર પર્યાવરણને અનુકૂળ હશે. જોકે, અમારા ઘરનું નિર્માણ વર્ષ 2016માં થયું હતું અને ત્યારથી અમે આ ઘરમાં રહીએ છીએ. આ ઘરમાં દરેક ક્ષણે એવું લાગે છે કે, અમે પ્રકૃતિની નજીક હોઈએ.’ પોતાના ઘરની અંદર ફ્લોરિંગથી છત સુધી પ્રાકૃતિક સામગ્રી જેવી કે માટીના બ્લોક, ટાઇલ્સ, પથ્થર અને અપસાઇકલ્ડ ચીલના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને લીધે તેમના ઘરની અંદરનું તાપમાન દરેક ઋતુમાં સંતુલિત રહે છે.

સમજી-વિચારીને બનાવ્યું પ્રકૃતિને અનુકૂળ ઘર
તેમણે જણાવ્યું કે, ‘તેમનું ઘર 1600 વર્ગ ફૂટમાં બનાવેલું છે. ઘર બનાવ્યા પહેલાં લોકો ઘણીવાર ભઠ્ઠાની ઇંટ, સિમેન્ટ અને રેતીનો ઉપયોગ કરે છે, પણ નેત્રાવતી અને નાગેશે પહેલી જ નક્કી કરી લીધું હતું કે, સૌથી વધુ ઇકોફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરશે. એટલે તેમણે ઘર નિર્માણ માટે સામાન્ય ઇંટો કરતાં CSEB એટલે કે, કમ્પ્રેસ્ડ સ્ટેબ્લાઇઝ્ડ અર્થ બ્લોકનો ઉપયોગ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ CSEB બ્લોક્સથી અમારી જમીનમાંથી નીકળેલી માટીથી જ બનાવ્યા છે. અમારે ક્યાંયથી માટી મંગાવવાની જરૂર પડી નથી. સાથે જ આ બ્લોક્સનો કાર્બન ઉત્સર્જન સામાન્ય ભઠ્ઠા પર બનેલી ઇંટોની સરખામણીએ 12.5 ગણો ઓછું છે.

આ પછી બીજી ઇકોફ્રેન્ડલી રીત હતી. ઓછામાં ઓછી સિમેન્ટનો પ્રયોગ કરવો. જેના વિશે નેત્રાવતીએ જણાવ્યું કે, સૌથી પહેલાં તેમણે આ વાત પર ધ્યાન આપ્યું કે, સૌથી વધુ સિમેન્ટનો પ્રયોગ ક્યાં થાય છે અને કઈ રીતે સિમેન્ટનો ઓછામાં ઓછો ઉપયોગ કરી શકાય છે.

‘‘અમે સામાન્ય કોંક્રિટના સ્લેબની જગ્યાએ પોતાની દીવાલો પર વિશ્વાસ કર્યો હતો. અમે કોંક્રિટના બીમ અને કોલમ બનાવ્યા નહીં, પણ અમારા ઘરમાં લોડ બેયરિંગ સ્ટ્રક્ચરલ સિસ્ટમનો ઉપયોગ થયો છે. જેથી ભારે દીવાલોના માધ્યમથી સ્લેબના પાયા પર આવી જાય છે. સાથે જ અમે છત બનાવવા માટે આરસીસીની જગ્યાએ ક્લે બ્લોક અને આર્ચ પેનલ્સનો પ્રયોગ કર્યો છે. જેનાથી છતના નિર્માણમાં સિમેન્ટ અને સ્ટીલનો ઉપયોગ ઓછો થયો છે.

આ રીતે છત બનાવવાનો એક ફાયદો એ પણ છે કે, તેમના ઘરનું તાપમાન હંમેશા સંતુલિત રહે છે. ઉનાળામાં તેમના ઘરની બહારના તાપમાન કરતાં ઠંડુ અને શિયાળામાં સામાન્ય ગરમ રહે છે. આ કારણે તેમના ઘરમાં ક્યારેય એસી અથવા કૂલરની જરૂર પડતી નથી. પંખાનો પણ ઉપયોગ ઓછો કરવો પડે છે.

પ્રાકૃતિક પ્રકાશનો ભરપૂર ઉપયોગ કર્યો છે
શરૂઆતથી જ તેમણે આ વાત પર ધ્યાન આપ્યું હતું કે, ઘરમાં જેટલું શક્ય થાય એટલો પ્રાકૃતિક પ્રકાશ હોય. એટલે તેમણે આખા ઘરમાં સ્કાય લાઈટ, દીવાલોમાં જાળી અને મોટી બારીઓ લગાવી છે. જેનાથી પ્રકાશ અને તાજી હવા પણ ઘરમાં શાંતિ આપે છે. તેમણે જણાવ્યું કે, જેનાથી તેમની વીજળીનો વપરાશ ઓછો થાય છે. અમારા ઘરમાં ટ્યૂબલાઈટ અને પંખાનો ઉપયોગ ઓછો થાય છે. આ કારણે લાઇટ બીલ પણ ઘણું ઓછું આવે છે. કોઈ પણ સામાન્ય ઘર કરતાં અમારા ઘરનું લાઈટ બિલ 30 ટકા ઓછું આવે છે.’’

આ રીતે ફ્લૂર પર તેમણે કોટા પથ્થર અને માટીની ટાઇલ્સનો ઉપયોગ કર્યો છે. દીવાલ પર કોઈ પ્લાસ્ટર કર્યું નથી અને એટલે પ્રાકૃતિક લાગે છે. તેમણે કહ્યું કે, ઘણાં લોકો આધુનિક કિચન બનાવવાની લ્હાયમાં લાકડાનો ઉપયોગ કરે છે. પણ તેમણે પોતાના કિચનમાં પથ્થરોનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત છોકરીઓના કામ માટે તેમણે અપસાઇકલના ચીલના લાકડાનો ઉપયોગ કર્યો છે. નેત્રાવતીનું કહેવું છે કે, આનાથી માત્ર તેના ઘરની સુંદરતા વધવાની સાથે કેટલાક ઝાડ ઓછા કાપવા પડ્યા છે.

નેત્રાવતી પોતાના ઘરમાં વરસાદના પાણી સંગ્રહ કરવાનું કામ કરે છે. તેમણે પોતાના ઘરમાં 40000 લીટરની ક્ષમતાનો રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવી છે. તેમણે જણાવ્યું કે, કિચન, બાથરૂમ અને શૌચાલયમાં પાણીની જરૂરિયાત વરસાદના પાણીથી પુરી થાય છે. આ રીતે પોતાના ઘરના લગભગ અડધા પાણીની જરૂરિયાતને વરસાદનું પાણી પુરૂ કરી લે છે.

જાતે ખાતર બનાવીને કેળા, દાડમના છોડ વાવ્યા છે
નેત્રાવતીએ કહ્યું કે, વધુ નહીં પણ પોતાના ઘરમાં તે કેટલીક ઋતુ પ્રમાણેના શાકભાજી ઉગાડે છે. બગીચો તે ખુદ તૈયાર કરે છે. તેમના ઘરેથી નીકળતું જૈવિક અને ભીનો કચરો ફેંકવા ભેગો કરીને જૈવિક ખાતર બનાવે છે. આ ખાતરથી તે પોતાના ઘરમાં મેથી, મૂળા, પાલક, બીન્સ સહિતના શાકભાજી ઉગાડે છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘’ ઘરના ખાતરથી ખૂબ જ જલદી ઝાડ ઉગે છે. અમે ઘરમાં કેળા, દાડમ અને પપૈયા સહિતના ફળના છોડ ઉગાડ્યા છે. કેળાના ઝાડ પરથી સારા ફળ પણ મળે છે.’’

નેત્રાવતી અને નાગેશે કહ્યું કે, પ્રકૃતિને અનુકૂળ જીવનશૈલીની જેમ એક-એક પગલું આગળ વધારી રહ્યા છે. કેમ કે, આજના જીવનની હકીકત છે કે અમે પોતાના જીવનને પ્રકૃતિની નજીક રાખીએ.’’ અંતમાં તે કહે છે કે, ‘સસ્ટેનેબિલિટી એક દિવસની પ્રકિયા નથી. આ એક જીવનશૈલી છે. જે રીતે દુનિયાનું તાપમાન અને પ્રદૂષણ વધી રહ્યું છે તે જુએ છે સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ હવે અમારા માટે વિકલ્પ નથી પણ એક જરૂરિયાત છે કેમ કે, અમારી આવનારી પેઢી પણ એક સારી જિંદગી જીવશે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of endless possibilities! ? The captivating content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exhilarating insights! #MindBlown Embark into this exciting adventure of discovery and let your thoughts roam! ✨ Don’t just explore, immerse yourself in the thrill! ? Your mind will thank you for this thrilling joyride through the realms of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page