અમદાવાદઃ જ્યોતિષશાસ્ત્રમાં કોઈ પણ વ્યક્તિની કુંડળીનો અભ્યાસ કરીને જ્યોતિષાચાર્ય જાતકના ભવિષ્ય અંગે ઘણી વાત કહે છે. કુંડળીમાં હાજર નવ ગ્રહોના ભાવના આધાર પર કોઈ પણ વ્યક્તિની સુખ તથા સમૃદ્ધિ જોઈ શકાય છે. જ્યોતિષમાં સુખ તથા સંપન્ન માટે કુંડળીમાં ચંદ્રમા તથા શુક્રની સ્થિતિ ઘણી જ મહત્વપૂર્ણ માનવામાં આવી છે.
સારા સ્વાસ્થ્યનું સુખઃ
1. સારા સ્વાસ્થ્ય માટે કુંડળીમાં ચંદ્રમા તથા લગ્નનો સ્વામી મહત્વપૂર્ણ છે.
2. જે વ્યક્તિની કુંડળીમાં ચંદ્રમા મજબૂત હોય તેની તબિયત સારી રહે છે.
3. જો કોઈ જાતકની કુંડળીમાં ચંદ્રમા નબળો છે પરંતુ ગુરુ સારો છે તો પણ તબિયત સારી રહે છે.
4. કુંડળીમાં રાહુ તથા શનિના અશુભ ભાવને કારણે તબિયત પર ખરાબ અસર પડે છે.
નોકરીમાં સુખ મળે છેઃ
1. જ્યારે જાતકની કુંડળીમાં શનિ તથા ગુરુ સારા હોય તો સારી નોકરી મળે છે.
2. કુંડળીમાં શનિ ખરાબ હોય તો નોકરીમાં મુશ્કેલીઓ રહે છે. ગુરુ ખરાબ હોય તો વ્યક્તિને બિઝનેસમાં નુકસાન સહન કરવું પડે છે.
વૈવાહિક જીવનનું સુખઃ
જ્યોતિશાસ્ત્ર પ્રમાણે, મહિલાઓના વૈવાહિક સુખ માટે ગુરુ ગ્રહ જવાબદાર છે જ્યારે પુરુષોના વૈવાહિક સુખ માટે ચંદ્રમા તથા શુક્ર ગ્રહ જવાબદાર છે.