અમદાવાદઃ આજના સમયમાં ઉધાર પૈસા લેવા કે કરજ લેવું સામાન્ય છે. નાની-મોટી જરૂરિયાત પૂરી કરવા માટે દેવું કે લોન લેવામાં આવે છે. જોકે, વ્યાજે પૈસા લેવા બંને પક્ષકારો માટે જોખમ રહેલું છે. જ્યોતિષ શાસ્ત્રમાં વ્યાજે પૈસા લેવાને લઈ કેટલાંક નિયમો બતાવ્યા છે.
સોમવારઃ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, સોમવારે વ્યાજે પૈસા લેવા કે આપવા માટે સારો દિવસ છે.
મંગળવારઃ આ દિવસે ક્યારેય વ્યાજે પૈસા લેવા નહીં. જોકે, આ દિવસે જૂના દેવાના પૈસા આપીને શુભ ફળની પ્રાપ્તિ કરી શકાય છે.
બુધવારઃ આ દિવસે વ્યાજે પૈસા આપવા નહીં અને લેવા પણ નહીં.
ગુરુવારઃ આ દિવસે વ્યાજે પૈસા આપવા ફાયદાકારક નથી પરંતુ વ્યાજે પૈસા લેવા શુભ માનવામાં આવે છે.
શુક્રવારઃ આ દિવસે વ્યાજે પૈસા લેવા તથા આપવા શુભ છે.
શનિવારઃ વ્યાજે પૈસા લેવા કે આપવા અશુભ છે. જો આ દિવસે પૈસા લેવામાં આવે તો તે લાંબા સમય સુધી ચૂકવી શકતા નથી.
રવિવારેઃ આ દિવસે વ્યાજે પૈસા લેવા તથા આપવા અશુભ છે.
nice content!nice history!! boba 😀
Exceptional, impressive work