Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratવડોદરાનો વીર જવાન આસામની સરહદે શહીદ, પરિવારમાં પત્ની ને ત્રણ સંતાનોને મૂક્યાં...

વડોદરાનો વીર જવાન આસામની સરહદે શહીદ, પરિવારમાં પત્ની ને ત્રણ સંતાનોને મૂક્યાં વિલાપ કરતાં

વડોદરાઃ આસામની સરદહે દેશની દુશ્મનોથી રક્ષા કરતાં વોડદારના ગોરવા વિસ્તારમાં કરોડિયા રોડ પર રહેતાં વીર જવાન સંજય સાધુ બીએસએફમાં કાર્યરત હતાં. તેઓ 18 ઓગસ્ટે શહીદ થયા છે. તેમનું નિધન કેવી રીતે થયું તે ખ્યાલ નથી. તેમનો પાર્થિવ દેહ 20 ઓગસ્ટે વડોદરા લાવવામાં આવશે. સંજય સાધુના નિધનથી પરિવાર ઘેરા શોકમાં ડૂબી ગયો છે.

કેવી રીતે નિધન થયું ખ્યાલ નથીઃ
સંજય સાધુ બીએસએફમાં ઈન્સ્પેક્ટર તરીકે કામ કરતાં હતાં. 18 ઓગસ્ટે રાત્રે સાડા સાત વાગે પેટ્રોલિંગ દરમિયાન અચાનક નાળામાં પગ લપસી ગયો હતો અને તેઓ પાણીના વહેણ સાથે તણાયા હતાં. જોકે, તેમને તાત્કાલિક બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં પરંતુ ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યાં હતાં. કહેવાય છે કે તેઓ જ્યાં પેટ્રોલિંગ કરતાં હતાં ત્યાં પશુ તસ્કરી થતી હોવાની ચર્ચા હતી અને તેથી જ તેઓ તે જગ્યાએ ભાગીને ગયાં હતાં.

પરિવારમાં પત્ની તથા ત્રણ સંતાનો:
સંજય સાધુ પોતાની પાછળ પત્ની તથા બે દીકરીઓ તથા એક દીકરાને વિલાપ કરતાં મૂકી ગયા છે. તેમણે થોડાં સમય પહેલાં જ ગાંધીનગરમાં નવું ઘર લીધું હતું.

RELATED ARTICLES

1 COMMENT

  1. I participated on this gambling website and succeeded a considerable sum of money, but later, my mom fell ill, and I wanted to withdraw some money from my account. Unfortunately, I faced problems and couldn’t finalize the cashout. Tragically, my mother passed away due to such gambling platform. I request for your assistance in bringing attention to this site. Please assist me in seeking justice, so that others won’t have to experience the pain I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page