Friday, April 12, 2024
Google search engine
HomeNationalરૂંવાડા ઊભા કરી દેશે દુલ્હનની વાત, પતિને કહ્યું- તમારી કોઈ ભૂલ નથી...

રૂંવાડા ઊભા કરી દેશે દુલ્હનની વાત, પતિને કહ્યું- તમારી કોઈ ભૂલ નથી તમે સારો છો…

21મી સદીમાં આપણે મોટી મોટી વાતો કરીએ છીએ. આપણે મંગળ ગ્રહ પર પહોંચી ગયા અને ચંદ્ર પર પહોંચવાની તૈયારી કરીએ છીએ. આપણે અવકાશમાં આપણું અલગ જ સામ્રાજ્ય સ્થાવાના સપનાં જોઈએ છીએ. જોકે, આ સપનાં વચ્ચે ભારતમાં મહિલાઓની સ્થિતિ બદથી બદતર બની રહી છે. આજે પણ દહેજના ખપ્પરમાં અનેક માસૂમ યુવતીઓ હોમાઈ રહી છે. ક્યારેક પુરાવાના અભાવે તો ક્યારેક સાક્ષીઓ ના હોવાને કારણે દહેજ ભૂખ્યા સાસરીયાઓને સજા પણ મળતી નથી. આજના સમયમાં દહેજને કારણે કોઈ પરિણીતા આત્મહત્યા કરે તે ક્યાંનો ન્યાય? આજે કંઈક એવા જ સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર વાંચ્યા બાદ તમારી આંખો ભીની થઈ જશે. પરિણીતાએ આત્મહત્યા કરતી વખતે પણ પતિ માટે લાગણી બતાવી હતી.

બિહારના સીવાનનમાં એક યુવતીએ આત્મહત્યા કરી હતી. શરૂઆતમાં આ આત્મહત્યાનો કેસ જ લાગ્યો હતો. જોકે, આત્મહત્યાના સાત દિવસ બાદ એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો પરિણીતાએ મરતાં પહેલાં બનાવ્યો હતો. આ વીડિયોમાં મહિલાએ કહ્યું હતું કે પંડિતજી આમાં તમારી ભૂલ નથી. તમે તો સારા છો. જોકે, તમારો પરિવાર દહેજ માટે હેરાન કરે છે. તે જાય છે. તમારું ધ્યાન રાખજો. સમયસર જમી લેજો અને કોઈ વાતનું ટેન્શન ના લેતા.

પહેલી જૂનના રોજ ચંદન મિશ્રાની પત્ની નિકુ કુમારી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. પરિવારે પોલીસ કેસથી બચવા ગામના જ સ્મશાનઘાટમાં તાત્કાલિક અંતિમ સંસ્કાર કર્યાં હતાં. ઘટનાના સાત દિવસ બાદ મહિલાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે પતિને સલાહ આપે છે. પતિને નિર્દોષ ગણાવે છે, જ્યારે સાસરીયા પર દહેજને કારણે હેરાન કરતાં હોવાનો આક્ષેપ મૂક્યો છે. તો બીજી બાજુ નીકુની માતા કિરણ દેવીએ સાસરિયા વિરુદ્ધ દહેજનો કેસ કર્યો છે. તેમણે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે તેમણે દીકરીના લગ્ન 2020માં હિંદુ રીત-રિવાજ સાથે મરાઠી ગામના અયોધ્યા મિશ્રાના દીકરા ચંદન કુમાર સાથે કર્યાં હતાં.

લગ્ન થયા પછી દીકરીને સસરા અયોધ્યા, નણંદ ગુડિયા, પતિ ચંદન દહેજમાં બાઇક ના આપવાને કારણે હેરાન કરતાં હતાં. પહેલી જૂન, 2022ના રોજ ફોન પર કહેવામાં આવ્યું કે દીકરીનું મોત થઈ ગયું છે. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.

2 લાખ ને બુલેટ માગ્યુંઃ કિરણ દેવીએ વધુમાં કહ્યું હતું કે લગ્ન બાદ સાસરીયા દહેજની ડિમાન્ડ કરતાં હતાં. દીકરી પાસે 2 લાખ રૂપિયા તથા એક બુલેટ બાઇક માગ્યું હતું. થોડાં થોડાં કરીને લાખો રૂપિયા આપ્યા હતા. જોકે, તેઓ તો પણ હેરાન કરતાં હતાં. પુત્રીના મોત બાદ સાસરીયાએ કહ્યાં વગર જ અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા.

રોજ માર મારતા હોવાની આશંકાઃ ગોરખપુરમાં રહેતાં ફુઆએ કિરણ દેવીને દીકરીને માર મારતા હોવાની વાત કહી હતી. પછી ખબર પડી કે દહેજના લોભમાં સાસરીયાએ નિકુની હત્યા કરી નાખી છે. જ્યારે તેઓ સાસરે ગયા તો દીકરીની લાશના સાસરીયાએ અંતિમ સંસ્કાર કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે સાસરીયાએ રોજ નીકુને દહેજ માટે હેરાન કરતાં હતાં. અંતે ત્રાસીને નીકુએ આત્મહત્યા કરી લીધી હતી. મરતાં પહેલાં નીકુએ વીડિયો બનાવ્યો હતો. પોલીસે હજી સુધી એક પણ આરોપીની ધરપકડ કરી નથી. માતા કિરણ દેવીએ સાસરીયામાંથી પતિ, સાસુ-સસરા, નણંદ લોકો પર કેસ કર્યો છે. ધરપકડના ડરથી સાસરીયા ઘર બંધ કરીને ફરાર છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page