Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalપોલીસને પણ ખ્યાલ ના આવ્યો કે આ મર્ડર છે, આ રીતે ફૂટ્યો...

પોલીસને પણ ખ્યાલ ના આવ્યો કે આ મર્ડર છે, આ રીતે ફૂટ્યો પત્નીનો ભાંડો

બીકાનેરના મહાજનમાં 25 ફેબ્રુઆરીના દિવસે એક યુવકની નહેરમાં પડી જવાથી મોતના ઘટનામાં નવો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતકની પત્નીએ જ પોતાના પ્રેમીને હત્યા માટે ઉશ્કેર્યો હતો. મહિલાએ પોતાના પ્રેમીને કહ્યું હતું કે, મારાં પતિને મારી નાખીશ તો આપણ બન્ને એક થઈ જશું. આ માટે પ્રેમીએ મહિલાના પતિને નહેરમાં ધક્કો માર્યો હતો. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને પત્નીને ધરપકડ કરી હતી અને જેલમાં ધકેલી મુકી હતી.

જોકે, હનુમાનગઢના રાવતસરના મંસૂરી ગામના રહેવાસી આમિરની લાશ ઈન્દિરા ગાંધી નહેરમાંથી મળી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે, આમીર કોઈ દુર્ઘટનાને કારણે નહેરમાં પડ્યો નથી પરંતુ તેને નહેરમાં ધક્કો મારવામાં આવ્યો હતો. પહેલા પોલીસે સમીર ઉર્ફ બિલ્લાની ધરપકડ કરી હતી. સમીરની પૂછપરછ દરમિયાન ચોંકવનારું સત્યા બહાર આવ્યું હતું જેમાં તેણે મૃતક આમીરની પત્ની સુલતાનાના કહ્યા પ્રમાણે કર્યું હતું. સુલતાના અને સમીરની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. સમીરને પહેલેથી જ્યુડીસિયલ કસ્ટડી માં મોકલી આપવામાં આવ્યો છે જ્યારે હવે સુલતાનાની ધરપકડ કરીને 16 માર્ચ જેલમાં ધકેલી મુકવામાં આવી છે.

સુલતાના થોડા દિવસ પહેલા જ મહાજનમાં પોતાના પિયરમાં આવી હતી. સમીની સાથે તેનો પ્રેમ સંબંધ બંધાયેલો હતો. તે દરમિયાન સુલતાનાનો પતિ આમીર પણ પોતાની સાસરીમાં આવી ગયો હતો. 25 ફેબ્રુઆરીએ આમીર મહાજનમાં હતો તે દરમિયાન સુલતાનાએ જ પોતાના મિત્ર સમીરને ઉશ્કેર્યો હતો કે આપણા બન્ને વચ્ચેથી આમીરને હટાવવાનો પ્લાન ઘડ્યો હતો.

સમીર આમીરને લઈને નદી કિનારે ગયો હતો જ્યાં આમીરને ધક્કો મારીને નદીમાં પાડી દેવામાં આવ્યો હતો. નદીમાં પાણી વધારે હતું અને આમીર બહાર આવી શક્યો નહીં જેના કારણે તેનું મોત નિપજ્યું હતું. થોડા દિવસો બાદ એટલે 1 માર્ચે લાશ નદીમાં મળી આવી હતી. મૃતકના પરિવારજનોએ સમીર પર હત્યાની શંકા વ્યક્ત કરી ત્યાર બાદ પોલીસે તેની ધરપકડ કરી અને કડક પૂછપરછ કરી હતી.

સુલતાનાએ આ પાજેબને વેચીને પોતાના પ્રેમી સમીરને દારૂ લાવવા માટે પૈસા આવ્યા હતાં. સમીરે આમીરને ચિક્કાર દારૂ પીવડાવ્યો પછી ઈન્દિરા ગાંધી નદીમાં ધક્કો મારી દીધો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, આમીર એકદમ સાદો યુવક હતો જે સુલતાનાને પસંદ ના આવ્યો. આ જ કારણે તે સાસરીમાં નહીં પરંતુ પિયરમાં વધારે રહેતી હતી. સુલતાનાએ લગ્ન બાદ પણ પ્રેમી સમીર સાથે પ્રેમ સંબંધ રાખ્યા હતાં. આમીર અને સમીર બન્ને બરોજગાર હતાં.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page