એક વર્ષ પહલા લગ્નના બંધનમાં બંધાયેલ દંપત્તિનું રોડ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. બાઈક પર પોતાના ગામથી ઉદેપુર જઈ રહેલ ભાવલિયા ગામનું દંપત્તિને પાછળથી ભૂલ સ્પિડમાં આવી રહેલા એમ્બ્યુલન્સે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં પતિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે પત્નીને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ તેણે પણ હોસ્પિટલમાં મોત થયું હતું.
નિકુંભ પોલીસ વિસ્તારમાં નપાવલી પુલિયાના સમીપ નિમ્બાહેડા-મંગલવાડ રોડ પ ભાવલિયા ગામના છોટૂ સિંહ શક્તાવત પોતાની પત્ની અન્નુ કંવરની સાથે બાઈક પર હોસ્પિટલના કામે ઉદેપુર જઈ રહ્યા હતાં. આ દરમિયાન પાછળથી આવી રહેલ ભૂલ સ્પિડમાં એમ્બ્યુલન્સે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતાંની સાથે જ બન્ને નીચે પડી ગયા હતાં અને પતિ છોટુ સિંહનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
તેની પત્ની અન્નુએ રસ્તા પરથી ઉભા થવાની કોશિશ કરી એવું તરત જ પાછળથી ટ્રેલરે ટક્કર મારી જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોા ટોળાં વળી ગયા ગયાં અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક બીજી એમ્બ્યુલન્સને જાણ કરી હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન પત્ની અન્નુનું પણ મોત નિપજ્યું હતું જેના કારણે પરિવાર પર આભ તુડી પડ્યું હતું.
છોટુ સિંહ અને અન્નુના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં. બન્ને ઉદેપુર હોસ્પિટલમાં કામથી જઈ રહ્યા હતાં. બપોરે બન્ને બાઈક પર નિકળ્યા હતાં. તે સમયે આ ઘટના સર્જાઈ હતી. પતિ અને પત્નીનું મોતના સમાચાર મળતાં જ પરિવારના સભ્યો ધ્રુસકે-ધ્રુસકે રડી રહ્યા હતાં.