ચંદ્રયાન-2 લોંચ થવામાં ગણતરીની મીનિટની જ વાર હતી અને દેશભરના લોકો અડધી રાત્રે થનારા પ્રક્ષેપણની રાહ જોતા હતાં. ત્યારે જ તેમાં અચાનક નાટ્યાત્મક વળાંક આવ્યો હતો. ચંદ્રયાન-2 લોંચ થવાની 56 મીનિટ 25 સેકન્ડ પહેલાં જ આ પ્રક્ષેપણ અચાનક રોકી દેવામાં આવ્યું હતું.
ચંદ્રયાન-2માં ટેક્નિકલ ખામી સર્જાતા તેને અટકાવી દેવામાં આવ્યું હતું. આખે આખા મિશનને જ અટકાવી દેવામાં આવ્યું હતું. હવે નવેસરથી ચંદ્રયાન-2ના લોંચિંગની જાહેરાત કરવામાં આવશે.
Doordarshan News: #Chandrayaan2 launch on hold for now. pic.twitter.com/G4vEVzslRd
— ANI (@ANI) July 14, 2019
અડધી રાત્રે 2:51 વાગ્યે ચંન્દ્રયાન-2નું લોન્ચિંગ થવાનું હતું. આંધ્ર પ્રદેશના શ્રીહરિક્ટાના સતીશ ધવન સ્પીસ સેંટર ખાતેથી તેને લોંચ કરવામાં આવનાર હતું. લોંચિંગ માટે એન્જિનમાં લિક્વિડ ઓક્સિજન અને લિક્વિડ હાઈડ્રોજન પણ ભરી દેવામાં આવ્યું હતું. આ ચંદ્રયાન-2નું વજન 3870 કિલો હતું.
ટેક્નિકલ ખામી શું છે તેની ચોક્કસ માહિતી હજુ સુધી સામે આવી શકી નથી. શું ખામી હતી તે જાણવામાં લગભગા 10 દિવસનો સમય લાગી શકે છે. વૈજ્ઞાનિકો તરફથી કોઈ પણ પ્રકારની સંભવિતા દુર્ઘટના ટાળવા અને ખામીને દુર કરવાના હેતુથી આ લોંચિંગ અટકાવી દેવામાં આવ્યું છે.
મહત્વની વાત એ છે કે, લોંચિંગ પહેલા જ ચંદ્રયાન-2માં રહેલી ખામીને વૈજ્ઞાનિકોએ ચતુરાઈપૂર્વક શોધી લીધી હતી. સમય રહેતા કોઈ દુર્ઘટના ઘટે તે પહેલા જ આખો લોંચિંગ જ છેલ્લી ઘડીએ રદ્દ કરી દેવામાં આવ્યું છે.
? Wow, this blog is like a cosmic journey launching into the universe of excitement! ? The captivating content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! #AdventureAwaits ? into this thrilling experience of imagination and let your imagination roam! ? Don’t just read, immerse yourself in the thrill! #FuelForThought Your mind will thank you for this thrilling joyride through the worlds of discovery! ✨