Wednesday, April 10, 2024
Google search engine
HomeBusinessRBIના ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યએ રાજીનામું આપ્યું, જાણો કેમ

RBIના ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યએ રાજીનામું આપ્યું, જાણો કેમ

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને એક મોટો આંચકો લાગ્યો છે. આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. 7 મહિનાની અંદર આ બીજીવાર છે કે, કોઈ ઉચ્ચ અધિકારીએ કાર્યકાળ પૂરો થયા પહેલા જ પોતાનું પદ છોડી દીધું હોય. આ પહેલા આરબીઆઈ ગવર્ન ઉર્જિત પટેલે ડિસેમ્બરમાં અંગત કારણ જણાવતા પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું.

વિરલ આચાર્ય 23 જાન્યુઆરી 2017ના રોજ ડેપ્યુટી ગવર્નરના પદે નિયુક્ત થયા હતા. તેમનો આ કાર્યકાળ ત્રણ વર્ષનો હતો પરંતુ કાર્યકાળ પૂરો થવાના 6 મહિના પહેલાં જ તેમણે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. ફેબ્રુઆરી 2020માં તેમને સીવી સ્ટાર પ્રોફેસર ઓફ ઈકોનોમિક્સ તરીકે ન્યૂયોર્ક યુનિવર્સિટી સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસ (એનવાઈયૂ સ્ટર્ન) પરત જવાનું હતું પરંતુ આચાર્ય આ વર્ષે ઓગસ્ટમાં જઈ રહ્યા છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રિઝર્વ બેંકની મોનેટરી પોલિસીની સમીક્ષાની બેઠકના થોડા સપ્તાહ પહેલા જ રાજીનામું આપી ચૂક્યા હતા. જુલાઈ પૂરો થવાના થોડા દિવસ પહેલા જ આચાર્ય પદ મુક્ત થઈ જશે. ડેપ્યૂટી ગવર્નરે રાજીનામાની પાછળ ખાનગી કારણનો હવાલો આપ્યો છે. જોકે, વધુ ભાર મૂકાતાં તેઓએ કહ્યું કે, સ્કૂલમાં મારા એક શિક્ષકે કહ્યું કે, જ્યારે તમારું કામ જાતે બોલે તો વચ્ચે દખલ ન કરો.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket soaring into the galaxy of wonder! ? The captivating content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! #MindBlown Embark into this cosmic journey of knowledge and let your mind roam! ✨ Don’t just enjoy, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your mind will be grateful for this thrilling joyride through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page