Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratઉમિયાધામનું રસોડું જોઈ તમને પણ લાગશે નવાઈ, માતાના ભક્ત છો તો જરૂર...

ઉમિયાધામનું રસોડું જોઈ તમને પણ લાગશે નવાઈ, માતાના ભક્ત છો તો જરૂર કરો ક્લિક

ઊંઝા: ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞમાં ભક્તોનું ઘોડાપૂર ઉભરી રહ્યું છે. લાખો ભક્તો માટે જમવાની શાનદાર વ્યવસ્થા કરવામાં આવી છે. યજ્ઞમાં પધારેલા મહેમાનો માટેનું કીચન જોઈને તમારી આંખો પહોળી થઈ શકે છે. એક વિશાળકાય ડોમની નીચે તૈયાર કરવામાં આવેલા રસોડામાં મોટા-મોટા તપેલાઓમાં રસોઈ બને છે. 20-25 મોટા-મોટા તપેલાઓમાં દાળ, ભાત અને શાક બનાવવામાં આવે છે.

મોટા ચુલાઓમાં લાકડા બાળીને ભોજન તૈયાર કરવામાં આવે છે. ડોમની બહાર સેવકો શાક-દાળ માટેની સામ્રગી કાપે છે. આ ઉપરાંત તેલના ડબ્બાઓ, કઠોળની બોરીઓ, મસાલાઓનો જથ્થો જોઈને તમે બેઘડી વિચારતા થઈ જશો. રસોઈ બનાવવામાં ટેક્નોલોજીનો પણ યુઝ કરવામાં આવ્યો છે. બટાટા કાપવા માટે, ગાંઠિયા બનાવવા માટે અને દાળને ભરવા માટેના મશીનો રાખવામાં આવ્યા છે. રસોડાંમાંથી ટ્રેક્ટરમાં ભોજનના મંડપ સુધી રસોઈ પહોંચાડવામાં આવે છે.

પાંચ દિવસ સુધી ચાલશે મહાયજ્ઞઃ
ઊંઝામાં 18 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી મા ઉમિયાના ધામમાં લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞ 800 વીઘા જમીનમાં થયો છે, જેમાં 25 વીઘમાં યજ્ઞશાળા, 67 વીઘામાં ભોજનશાળા, 25 વીઘામાં સાંસ્કૃતિક કાર્યક્રમો, 25 વીઘમાં ક્રાફટ સ્ટોલ, 20 વીઘામાં ઓદ્યૌગિક સ્ટોલનું પ્રદર્શન, 18 વીઘમાં બાળનગરી તથા 305 વીઘામાં પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.

માનવામાં આવે છે કે પાંચ દિવસ સુધી ચાલનારા આ મહાયજ્ઞમાં રોજ ચારથી પાંચ લાખ લોકો આવશે. આ તમામની ભોજન વ્યવસ્થાથી માંડીને પાર્કિંગ વ્યવસ્થા તમામ સવલતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

રસોઈ માટે અલગ ડોમ બનાવવામાં આવ્યો છે
જમવા માટે અલગ-અલગ મંડપ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રસોડામાં માટે એક અલગ મોટો ડોમ બનાવવામાં આવ્યો છે. જેમાં શાક દાળ-ભાત, લાડુ વગેરે બનાવવામાં આવે છે. આ આયોજનમાં રોટલી બનાવવાનું મશીન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દિવસે ભક્તોની સેવામાં ખડેપગે રહેતાં 50 હજાર સેવકોના રાતના જમણવારમાં રોટલી બનાવવા માટે આ રોટલી મેકર મશીન લાવવામાં આવ્યું છે. રોટલી મેકર 10-12 હજાર રોટલી, ભાખરી, પરોઠા અને બાજરાના રોટલા બનાવે છે.

આ રોટલીના મશીન સાથે લોટ બાંધવાના બે બીજા નાના મશીન છે. જે કલાકના 25-30 કિલો લોટ બાંધે છે. લોટ બંધાયા બાદ તેને મોટા મશીનમાં નાંખવામાં આવે છે. જેમાં રોટલી, ભાખરી, પરોઠા કે રોટલા આપોઆપ બનીને તૈયાર નીકળે છે. એટલું જ નહીં રોટલીમાં ઘી પણ ચોપડાય જાય છે. આ મશીન પંજાબથી વસાવવામાં આવ્યું છે. તેમજ તેની અંદાજે 25-30 લાખ રૂપિયા કિંમત છે.

17 લાખ નંગ લાડુ બન્યા
ભોજન માટે અન્નપૂર્ણા કમિટીની રચના કરવામાં આવી છે. 17 લાખ લાડુનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. જો ધારણા કરતાં વધુ લોકો આવે એટલે પ્રસાદ ના ખૂટે તે માટે બુંદી અને મોહનથાળની પણ તૈયારી કરવામાં આવી છે. પાંચ દિવસ રોજ 250 રસોઈયા દિવસ-રાત ભોજન બનાવશે. શાકભાજી પહેલેથી સમારીને તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રોટલી તથા ભાખરી માટે મશીનો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page