Sunday, April 14, 2024
Google search engine
HomeFeature Rightવાહ કાઠિયાવાડી વાહ! સવજીભાઈ ધોળકિયાએ પોતાના ખર્ચે 400 નિ:સંતાન દંપતીને ચાર ધામની...

વાહ કાઠિયાવાડી વાહ! સવજીભાઈ ધોળકિયાએ પોતાના ખર્ચે 400 નિ:સંતાન દંપતીને ચાર ધામની યાત્રાએ મોકલ્યા

સુરત: ગુજરાતી બિઝનેસમેન સવજીભાઈ ધોળકિયાના હરિકૃષ્ણ ગ્રુપે 400 નિ:સંતાન દંપતી અને 800 વરિષ્ઠોને ચારધામની યાત્રાએ મોકલ્યા છે. બે બેંચમાં રવાના થયેલા યાત્રીઓ માટે 100 જેટલાં સ્વંયસેવકો પણ સાથે ગયા છે.

ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત હરિદ્વાર અને ઋષિકેશ ની “શ્રવણ મનોરથ યાત્રા” 1 જુલાઈના રોજ શરૂ થઈ હતી. જેમાં 400 નિ:સંતાન દંપતી અને 800 વરિષ્ઠોને બે બેંચમાં મોકલવામાં આવ્યા છે. આ યાત્રા દરમિયાન જુદા જુકા કલાકારો દ્વારા ડાયરા અને હાસ્યસરના કાર્યક્રમો પણ યોજાશે. નોંધનીય છે કે ગયા વખતે ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા કર્મચારીઓના માતા-પિતા અને દાદા-દાદીને યાત્રા કરવવવામાં આવી હતી.

આ અંગે કંપનીના ચેરમેન સવજીભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે આ વર્ષે કંઈક નવું કરવાનો વિચાર આવતાં જેમને સંતાન નથી તેવા લોકોને યાત્રા માટે ભેગા કર્યા છે. આવા ઘણાં લોકો છે, જેમને મનમાં થાય કે અમારે સંતાનો હોય તીર્થની યાત્રા કરાવેત. આવા લોકોને વસવસો ન રહે તે માટે આ યાત્રાનું આયોજન કરાયું છે. 15 દિવસની યાત્રામાં મુખ્ય મુકામ હરિદ્વાર અને ઋષિકેશમાં રહેશે, જ્યાંથી બીજા ફરવાના સ્થળે તેમને રોજ લઈ જવાશે. તેમના રહેવા-જમવાની સુવિધા 100 જેટલાં કાર્યકરોને સુરતથી મોકલ્યા છે. દરેકને એક રૂમ બૂક કરાવી આપ્યો છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of excitement! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exciting insights! #InfinitePossibilities ? into this exciting adventure of knowledge and let your imagination roam! ✨ Don’t just explore, experience the excitement! #FuelForThought ? will thank you for this thrilling joyride through the dimensions of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page