Thursday, April 18, 2024
Google search engine
HomeNationalપત્ની ભત્રીજાના પ્રેમમાં અંધ બની, બીયર પીવડાવીને મારી નાખ્યો, લાશની બાજુમાં પ્રેમી...

પત્ની ભત્રીજાના પ્રેમમાં અંધ બની, બીયર પીવડાવીને મારી નાખ્યો, લાશની બાજુમાં પ્રેમી સાથે સૂતી રહી

એક હમચાવી દેતો બનાવ સામે આવ્યો હતો. મહિલાને તેના ભત્રીજા સાથે આંખ મળી ગઈ હતી. જેની સાથે મળીને પત્નીએ પતિનું મોં દબાવીને હત્યા કરી દીધી હતી. પત્ની આખી રાત પતિની લાશ સાથે સૂતી રહી. આટલું જ નહીં સવારે સાસુ-સસરાને પરોઠા ખવડાવીને ખેતર મોકલી દીધા હતા. પછી પતિ મરી ગયો હોવાનું નાટક કર્યું હતું. ભત્રીજો પણ આ ડ્રામામાં સામેલ થયો હતો. મોબાઇલ સ્વિચ ઓફ કરીને પત્ની દેખાડો કરવા પતિનું માથું ખોળામાં રાખીને રડતી હતી. ગયા ઓક્ટોબર મહિનામાં સામે આવેલા આ બનાવે બધાને હચમચાવી દીધા હતા.

આ શોકિંગ બનાવ હરિયાણાનો છે. અહીંના પાનીપતમાં ધૂપસિંહ નગરમાં યુવકને તેની પત્નીએ ખોફનાક મોત આપ્યું હતું. જોકે પત્નીએ કહ્યું હતું કે તેને ખ્યાલ જ નથી કે પતિનું મોત કેવી રીતે થયું. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પતિની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. ચાંદની બાગ પોલીસ સ્ટેશનમાં પત્ની તથા પ્રેમી પર કેસ કરવામાં આવ્યો છે.

આ અંગે મૃતકના પિતા બ્રહ્મપાલે ફરિયાદ નોંધાવી હતી. તેણે કહ્યું કે તેનો 26 વર્ષીય દીકરો અનિલ ફેક્ટરીમાં સિલાઈનું કામ કરતો હતો. કામથી પરત આવ્યા બાદ તે પત્ની સંગીતા, બે દીકરા 8 વર્ષના સાહિબ તથા 5 વર્ના સામિત સાથે સૂઈ ગયો હતો. પલંગમાં બાળકો તથા સંગીતા હતી અને ખાટલામાં દીકરો હતો. સવારે સાત વાગે સંગીતાએ ચા તથા પરોઠા આપ્યા હતા. ખાઈને તે પત્ની ઈશાવતી સાથે ઘાસ લેવા ખેતરમાં ગયો હતો. પછી સંગીતાએ પિયર તથા જેઠ (પ્રેમીના પિતા)ને અનિલના મોતની માહિતી આપી હતી. 8.10 વાગે ખેતરમાં હતાં ત્યારે સંગીતાના પિયરથી ફોન આવ્યો કે અનિલ મરી ગયો છે.

લગ્ન પહેલાં એક યુવક સાથે ભાગી હતી અને હવે સગા ભત્રીજા સાથે ચક્કરઃ બ્રહ્મપાલે કહ્યું હતું કે સંગીતાનું પિયર મુઝફ્ફરનગરના હરિનગર ગામમાં છે. 10 વર્ષ પહેલાં અનિલ તથા સંગીતાના લગ્ન થયા હતા. લગ્ન પહેલાં સંગીતા ગામના જ એક યુવક સાથે ભાગી ગઈ હતી. લગ્ન બાદ તેના સગા જેઠના મોટા 19 વર્ષીય દીકરા સાથે સંબંધો હતા. ભત્રીજો સંગીત કરતાં 10 વર્ષ નાનો છે. બંનેએ પ્રેમમાં અંધ બનીને અનિલની હત્યા કરી હતી.

પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતોઃ હત્યાની પુષ્ટિ થયા બાદ પોલીસે સંગીતાની ધરપકડ કરી હતી. પોલીસ પછી પ્રેમી સચિનને પણ લઈ ગઈ હતી. હત્યા બાદ સચિને પોતાના ઘરમાં ઘાસચારાની વચ્ચે સંગીતાનો મોબાઇલ છુપાવી દીધો હતો. જેઠનું ઘર સંગીતાના ઘરની સામે છે. સંગીત હત્યા પહેલાં પિયર ગઈ હતી અને અહીંયા પતિને માર ખવડાવ્યો હતો. તે ફોન પર અવાર-નવાર વાત કરતી રહેતી હતી. આ વાતને કારણે પતિ સાથે ઝઘડો થતો હતો. સાસુ ઈશાવતીએ કહ્યું હતું કે દીકરાની હત્યા કરી તે રાત્રે તેમને વધુ ઊંઘ આવી હતી. સંગીતાએ ભોજનમાં નશીલી દવા મિક્સ કરી હતી.

આઠ મહિનાથી સંબંધો હતાઃ ડીએસપી હેડક્વાર્ટર સતીશ કુમારે કહ્યું હતું કે સચિનના કાકી સંગીતા સાથે 8 મહિનાથી સંબંધો હતા. અનિલે બંનેને એક જ રૂમમાં સાથે જોઈ લીધા હતા અને ત્યારથી જ તેને આ બંનેના સંબંધો પર શંકા હતી. તે સંગીતા સાથે આ મુદ્દે ઝઘડતો પણ હતો. અનિલને સચિન ઘરે આવે તે વાત બિલકુલ પસંદ નહોતી. પ્રેમ સંબંધમાં અડચણ બનેલા અનિલને હટાવવા માટે સચિન દુકાનમાંથી નશીલી દવા તથા બીયર લઈને આવ્યો હતો. આ તમામ વસ્તુ તેણે સંગીતાને આપી હતી.

અનિલને થોડો તાવ આવતો હતો અને રાત્રે 9 વાગે તે કારખાનેથી આવ્યો હતો. સંગીતાએ બીયરમાં નશીલી દવાઓ મિક્સ કરી હતી. ત્યારબાદ તેણે તાવની દવા કહીને બીયર પીવડાવી દીધું હતું. આ સાથે જ ચામાં નશીલી દવા નાખીને સાસુ-સસરા તથા બંને દીકરાને પીવડાવી હતી. આખો પરિવાર બેભાન થતાં જ સંગીતાએ સો.મીડિયામાં મેસેજ કરીને પ્રેમી સચિનને ઘરે બોલાવ્યો હતો. બંનેએ સાથે મળીને અનિલની હત્યા કરી હતી.

પતિની લાશની બાજુમાં પ્રેમીની સાથે સૂતીઃ પોલીસથી બચવા માટે સચીને હાથમાં મોજાં પહેર્યાં હતા. સંગીતાએ પતિના હાથ પકડ્યા અને ઓશીકાથી મોં દબાવ્યું હતું. ત્યારબાદ ચૂંદડીથી બંનેએ સાથે મળીને અનિલની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ સચિન તથા સંગીતા સાથે સૂતા હતા. બીજા દિવસે સવારે સચિન તેના ઘરે ગયો હતો. પછી પરિવાર સાથે હત્યા પર અફસોસ વ્યક્ત કરતો હતો. મીડિયા તથા પોલીસ સાથે સચિન જ વાત કરતો હતો.

હત્યા બાદ સંગીતાએ સિમ તોડ્યુંઃ ડીએસપીએ કહ્યું હતું કે પતિની હત્યા કર્યા બાદ સંગીતાએ સિમ કાર્ડ તોડી નાખ્યું હતું અને મોબાઇલ ઘાસચારામાં છુપાવી દીધો હતો. મોબાઇલ તથા તૂટેલું સિમ પોલીસે જપ્ત કર્યું હતું. આ જ મોબાઇલથી સંગીતાએ પ્રેમીને મેસેજ કર્યો હતો. સચિન મજૂરી કરે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page