અમદાવાદઃ શરીર માટે ભોજન ઘણું જ જરૂરી છે પરંતુ માત્ર ભોજન જ બધું જ નથી. ભોજન બાદ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે અને તેમ ના કરવું જોઈએ. આજે અમે એવી 10 બાબતો અંગે જણાવીશું, જે જમ્યાં બાદ ક્યારેય કરવી નહીં.
1. ભોજન બાદ તરત ના સૂવું જોઈએ. કારણ કે ભોજનને પચતા સમય લાગે છે અને ભોજન યોગ્ય રીતે ના પચે તો ગેસ થઈ જાય છે અને આંતરડાંને નુકસાન પહોંચે છે.
2. ભોજન બાદ તરત જ સ્મોક કરવું નુકસાનકારક છે. ભોજન બાદ તરત જ એક સિગારેટ પીવામાં આવે તે 10 સિગારેટ જેટલું નુકસાન કરે છે. તેનાથી કેન્સર થવાનું જોખમ વધે છે.
3. ભોજન બાદ તરત જ ચા કે કૉફી ના પીવી જોઈએ. આનાથી ડાયજેસ્ટિવ સિસ્ટમ પર ખરાબ અસર થાય છે. પ્રયાસ કરવો કે ભોજનના બે કે ત્રણ કલાક બાદ જ ચા કે કૉફી લેવી.
4. ભોજન બાદ તરત જ ફળો ના ખાવા. આનાથી પૂરતું પોષણ મળતું નથી. જમ્યાના એક કલાક બાદ જ ફ્રૂટ્સ લેવાં.
5. કેટલાંક લોકો ભોજન પહેલાં કમરનો બેલ્ટ ઠીલો કરે છે. જેથી ઓવરઈટિંગ થઈ જાય છે. આથી જ જેટલી ભૂખ હોય તેટલું જ જમો.
6. જમ્યા બાદ તરત જ ન્હાવું જોઈએ નહીં. તેનાથી બ્લડ ફ્લો વધે છે. બ્લડ ફ્લો વધતાં પેટ પર ખરાબ અસર થાય છે અને પાચન ક્રિયાને અસર થાય છે.
7. ભોજન બાદ તરત જ ચાલવું ના જોઈએ. આનાથી પાચનક્રિયા પ્રભાવિત થાય છે. જમ્યાના અડધો કલાક પછી ચાલવું.
8. ભોજન બાદ વર્કઆઉટ કરવાથી થાક લાગે છે. આથી જ ભોજન બાદ તરત જ વર્ક આઉટ ના કરવું.
9. ભોજન બાદ તરત જ બ્રશ ના કરો. તેનાથી દાંત નબળા પડી શકે છે. જમ્યાના અડધો કલાક બાદ જ બ્રશ કરો.
10. ભોજન બાદ તરત જ પાણી ના પીવું જોઈએ. પાણી પીવાથી ભોજન ઠીક રીતે પચતું નથી. જેનાથી એસિડિટી, પેટમાં સોજો તથા પેટ સંબંધિત બીમારી થવાનું જોખમ વધી જાય છે. જમ્યાંના 45 મિનિટ બાદ જ પાણી પીવું.