અમદાવાદ: મહિલાઓ વારંવાર એવું કરતી હોય છે કે એક ટાઈમના બચેલા ભોજનને ગરમ કરીને બીજા દિવસે અથવા બાદમાં જમી લેતા હોય છે. પરંતુ કેટલીક એવી ચીજો પણ છે જેને ફરીથી ગરમ કરીને ખાવામાં તમને નુકસાન થઇ શકે છે. અહીં એવી કેટલીક ચીજોની જાણકારી આપવામાં આવી છે જેને ફરીથી ગરમ કરીને ક્યારેય ખાવી જોઇએ નહીં.
ચિકન: ચિકનને ફરીથી ગરમ કરીને ખાવાથી તમારા શરીરને ભારે નુકસાન પહોંચી શકે છે. તેને ફરીથી ગરમ કર્યા બાદ તેમાં રહેલું પ્રોટીન કોમ્પોઝિશનમાં બદલાઇ જાય છે. જેનાથી તમારા શરીમાં પાચન સંબંધિ પરેશાનીઓ થઇ શકે છે.
બટાકા : બટાકા આપણા શરીર માટે સ્વાસ્થવર્ધક હોય છે પરંતુ જો બટાકાનું શાક બનાવીને તેને લાંબા સમય સુધી રાખી દેવામાં આવે તો તેમા પોષકતત્વો ઓછા થઇ જાય છે અને જો તેને ફરીથી ગરમ કરવામાં આવે તો તેની પાચન ક્રિયા પર નકારાત્મક અસર પડે છે.
મશરૂમ : આ શાકમાં પ્રોટીન ખૂબ માત્રામાં હોય છે, તેને ફરીથી ગરમ કરી જમવાથી પ્રોટીન કંમ્પોઝિશનમાં બદલાઇ જાય છે. તેનું સેવન કરવાથી ઇનડાઇઝેશન થશે. સાથે હાર્ટની પણ પરેશાનીઓ વધશે.
ભાત : અનેકવાર વધેલા ભાતને આપણે ગરમ કરીને ખાઇ લેતા હોઇએ છીએ જ્યારે એવું કરવું જોઇએ નહીં. ભાતને ફરીથી ગરમ કરવાથી બેક્ટેરિયીની સંખ્યામાં ફરીથી બે ગણી થઇ જાય છે જેનાથી ડાયરિયા થવાની સંભાવના વધી જાય છે.
ઇંડા : ઇંડામાં પ્રોટીનની માત્રા ખૂબ હોય છે અને તેને ફરીથી ગરમ કરી ખાવાથી જમવાનું વિષયુક્ત થઇ જાય છે.
ચા :ચામાં ટેનિક એસિડ હોય છે. જેનાથી શરીરમાં ટોક્સિન્સ બનવા લાગે છે. તેને ફરીથી ગરમ કરી પીવાથી એસિડની માત્રા વધી જાય છે જેનાથી લિવર સંબંધિત પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
પાલક : પાલકમાં ખૂબ પ્રમાણમાં નાઇટ્રેટ્સ હોય છે જેને ફરીથી ગરમ કરી ખાવાથી તેમાં રહેલા કાર્સિનોજોનિકમાં બદલાઇ જાય છે જેનાથી ટોક્સિન્સ પેદા થાય છે.