ગ્રીષ્માના ઘરે રિ-કન્સ્ટ્રક્શન માટે જ્યારે ફેનિલને લઈ જવામાં આવ્યો હતો ત્યારે તે ગ્રીષ્માના પાસોદરા ખાતેના નિવાસસ્થાને ખુન્નસથી જોઈ રહ્યો હતો. અકળાયેલા લોકો ફેનિલને મેથીપાક આપવાના મૂડમાં હતાં. પરંતુ પોલીસે ફેનિલને આકરા શબ્દોમાં સણખાં રહેવા જણાવ્યું હતું. ગ્રીષ્માના ઘરે ટાંકી રહેલો ફેનિલ અત્યાર સુધી નફ્ફટાઈથી વર્તી રહ્યો પરંતુ જ્યારે પાસોદરા ખાતે મીડિયાના ટોળાને ફેનિલે જોયું તેમાં તેની વિરુદ્ધ હત્યારો અને નરાધમ જેવા શબ્દો સાથે લાઈવ રિપોર્ટિંગ થઈ રહ્યું હતું.
તે જોઈને ફેનિલ હેબતાઈ ગયો હતો. હીરોગીરી કરવાના ચક્કરમાં પાટીદાર સમાજ અને શહેરમાં મહાવિલન બનેલા ફેનિલને ગ્રીષ્માના ઘર પાસે ખબર પડી ગઈ હતી કે તેનાથી મોટુ ભૂલ થઈ ગઈ છે. પ્રથમ વખત ફેનિલની આંખમાં આસું આવી ગયા હતાં. તેને રડતા જોઈને પોલીસ પણ દંગ રહી ગઈ હતી. અત્યાર સુધી ગ્રીષ્માને મારીને જાણે કોઈ મોટી હીરોગીરી કરી હોય તે રીતે વર્તી રહેલા ફેનિલને હવે ખબર પડી ગઈ હતી કે તેણે મોટી ભૂલ આવેશમાં આવીને કરી નાંખી છે.
ગ્રીષ્માની હત્યાની ઘટના વિશ્વફલક પર છવાઈ ગઈ છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગઈકાલે ફેનિલન સાથે રાખીને પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું જેમાં અનેક ચોંકાવનારા ધડાકા થયા હતાં. ફેનિલે ગ્રીષ્માના મોટાબાપા પર ચપ્પાથી હુમલો કર્યો હતો. ગ્રીષ્માના મોટાબાપાની હાલત ગંભીર હોવાની વિગત જાણવા મળી છે.
તેમાં ઝનૂની ફેનિલે આખા આંતરડા ચપ્પુ મારીને બહાર ખેંચી નાંખ્યા હતાં. હાલમાં તબીબોએ સાત દિવસ સુધી ગ્રીષ્માના મોટાબાપાને પાણી નહીં આપવા માટે જણાવ્યું છે. અલબત ગ્રીષ્માના મોટાબાપાની હાલત ગંભીર હોવાની વિગત જાણવા મળી છે.
ગ્રીષ્માના કાકાની હાલત ગંભીર હોવાની વિગત જાણવા મળી છે. તેમાં ઝનૂની ફેનિલે આખા આંતરડા ચપ્પુ મારીને બહાર ખેંચી નાંખ્યા હતાં. હાલમાં તબીબોએ સાત દિવસ સુધી ગ્રીષ્માના કાકાને પાણી નહીં આપવા માટે જણાવ્યું છે. અલબત ગ્રીષ્માના કાકાની હાલત ગંભીર હોવાની વિગત જાણવા મળી છે. મહત્વની વાત એ છે કે, ફેનિલે ગ્રીષ્માના મોટા બાપાને ઝનૂનથી ચપ્પુ મારી દીધું હતું અને તેમના આંતરડા બહાર લટકી ગયા હતા. ત્યારબાદ તેણે ગ્રીષ્માના ભાઈ ધ્રુવ પર હુમલો કર્યો હતો.
ગ્રીષ્માની કરપીણ હત્યાથી હાલમાં પાટિદાર સમાજ ધ્રુજી ગયો છે. આ દરમિયાન આ મામલે પાટિદાર સમાજ આવતા સપ્તાહમાં આગેવાનો એકત્રિત થવાનો નિર્ણય લીધો છે. આ મામલે તારીખ આવતા થોડા દિવસમાં ઘોષિત કરવાની વાત કરવામાં આવી છે.