Thursday, April 18, 2024
Google search engine
HomeGujaratપાટીદારના કદાવર નેતા વિઠ્ઠલભાઈનો પાર્થિવ દેવ પંચમહાભૂતમાં વિલીન

પાટીદારના કદાવર નેતા વિઠ્ઠલભાઈનો પાર્થિવ દેવ પંચમહાભૂતમાં વિલીન

પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું લાંબી બિમારી બાદ સોમવારે નિધન થયું હતું. તેમના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે જામકંડોરણા ખાતે રાખવામાં આવ્યો હતો ત્યાર બાદ બપોરે તેમના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતાં. વિઠ્ઠલ રાદડિયાના સૌથી નાના પુત્ર જયેશે મુખાગ્નિ આપી હતી. ભાજપ – કોંગ્રેસ સહિત સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં.

પૂર્વ સાંસદ અને મંત્રી વિઠ્ઠલભાઇ રાદડિયાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે. પુત્ર જયેશ રાદડિયાએ મુખાગ્નિ આપીને અંતિમ વિધિ પૂર્ણ કરી હતી. જયેશ રાદડિયા પણ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા હતા.

વિઠ્ઠલભાઇ રાદડિયાની અંતિમ વિધિ અને અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. શબવાહિનીને ફૂલોથી શણગારમાં આવી હતી. અંતિમયાત્રા નીકળતાં જ વિઠ્ઠલભાઈના પત્ની ચેતનાબેને હૈયાફાટ રૂદન કરતાં વાતાવરણ ગમગીન જોવા મળ્યું હતું.

વિઠ્ઠલ રાદડિયાની અંતિમ યાત્રામાં ગુજરાતના ટોચના નેતાઓ જોડાયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો સહિતના રાજકીય અગ્રણીઓ સાથે પાટીદાર સમાજના ટોચના આગેવાનોએ ભારે દુઃખ સાથે અંતિમ વિદાય આપી હતી.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of endless possibilities! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of exciting insights! #AdventureAwaits Embark into this cosmic journey of discovery and let your thoughts roam! ? Don’t just read, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your brain will thank you for this exciting journey through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page