અમદાવાદ: રવિવારે સાંજે અમદાવાદના કાંકરિયાના એડવેન્ચર પાર્કમાં રાઈડ તૂટી ગઈ હતી અને બે સહેલાણીઓનાં મોત નિપજ્યાં હતાં જેના કારણે તંત્ર દોડતું થઇ ગયું હતું. આ ઘટનામાં બે લોકોનાં મોત નિપજ્યાં હતાં. મોતના પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. જોકે, આ દુર્ઘટનામાં જે બે લોકોનું મોત નિપજ્યું તેમાં એક યુવતી અને એક યુવકનો સમાવેશ થાય છે.
આ ઘટનામાં અમદાવાદના નર્મદાના તારોપાની મનાલી રજવાડીનું મોત નિપજ્યું હતું. કાંકરિયાના એડવેન્ચર પાર્કમાં પોતાની વ્હાલસોઈ દિકરી ગુમાવ્યા બાદ મૃતક મનાલીના પિતાએ ચીમકી ઉચ્ચારી હતી કે, જો તપાસમાં કોઈપણ પ્રકારનું દબાણ લાવવામાં આવશે તો તેનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.
કાંકરિયાના એડવેન્ચર પાર્કમાં જે યુવતી મોતને ભેટ્યા છે તેના વિશે વાત કરીએ તો, તેનું નામ મનાલી રજવાડી છે અને તે નર્મદાના તારોપાની વતની છે. મનાલી રજવાડીના લગ્ન થઈ ગયા હતાં. પરંતુ કોઈ કારણોસર ઘટનાના પાંચ દિવસ પહેલાં જ છૂટાછેડા થયા હતા.
ત્યારબાદ તે આઘાતમાંથી બહાર નીકળવા માટે તે પોતાના પિયરથી અમદાવાદ ફરવા આવી હતી. પરંતુ તેને ખબર નહોતી કે જે રાઈડ્સમાં બેસવા તે જાય છે તે તેના માટે જિંદગીની છેલ્લી રાઇડ્સ બની જશે.