Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratયુવકની રડાવી દેતી સુસાઇડ નોટ, મારી આ બે ઈચ્છાઓ પૂરી કરજો

યુવકની રડાવી દેતી સુસાઇડ નોટ, મારી આ બે ઈચ્છાઓ પૂરી કરજો

ગોંડલના કમરકોટડા ગામે એક યુવાને કોમ્પિટિટિવ એક્ઝામમાં વારંવાર નાપાસ થતાં ગળાફાંસો ખાઇ પોતાનો જીવ ટૂંકાવ્યો હતો. મૃતક જયેશ જીવરાજભાઈ સરવૈયાએ જીવન ટૂંકાવતાં પહેલાં અઢી પાનાંની ભાવુક સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં તેણે આત્મહત્યાનું કારણ કોમ્પિટિટિવ એક્ઝામમાં સતત નાપાસ થવું, એક્ઝામના કોઈ ઠેકાણા ન હોવા, ચોક્કસ તારીખ ન હોવાથી ઊભા થયેલા ડિમોટિવેશનને ગણાવ્યું હતું. ત્યારે આ ઘટનાએ અત્યારે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે.

“કોમ્પિટિટિવ એક્ઝામમાં નિષ્ફળતાએ તોડી નાખ્યો”
2019થી તૈયારી કરતા જયેશે સુસાઇડ નોટમાં લખ્યું છે કે, “મને ખબર છે મારી મારામાં એટલી તો હેસિયત છે કે હું ક્લાસ 3 એક્ઝામ કમ્પ્લીટ કરી શકું, પણ અત્યારે ડિમોટિવેટ ફિલ કરું છું. કારણ કે એક્ઝામના કોઇ ઠેકાણા નથી, ચોક્કસ તારીખ નથી, હવે હું મેન્ટલી થાકી ગયો છું. જીવનમાં આગળ શું કરવુ કંઇ નક્કી નથી કરી શકતો. સપના તો ઘણા હતા, સપના પાછળ મહેનત પણ કરી. મહેનત ઓછી પડી કદાચ..”. બિનસચિવાલયની પરીક્ષા જયેશનું ડ્રીમ હતું જે અધૂરું રહ્યું. આ ઉપરાંત ફોરેસ્ટ, ક્લાર્ક, તલાટી, જુનિયર ક્લાર્કમાં નિષ્ફળતા મળતાં તે હતાશ થયો હતો અને છેલ્લે જીવન ટૂંકાવ્યું હતું.

“I am sorry પપ્પા, મમ્મી, બહેન, ભાઇ”
“મારી મુશ્કેલીઓમાંથી છુટવા તમારી સાથે ચીટ ના કરાય એટલે આટલા દિવસ સુધી જીવતો હતો, પણ હવે હું પૂરેપૂરો સ્વાર્થી થઈ ગયો છું. બધું તમારા પર છોડી હું જઈ રહ્યો છું. તમે 23 વર્ષનો કર્યો પણ હું ઋણ ચૂકવવા વગર જઈ રહ્યો છું, i am sorry. પણ હવે મારામાં જરાય ઈચ્છા નથી જીવવાની, સાવ થાકી ગયો છું. ફિઝિકલી શરીર પર ફોડલા પણ એટલા છે અને મેન્ટલી પણ હેરાન થઈ ગયો છું. હવે તો મને બે મિનિટમાં જિંદગી ખતમ કરી દેવી સહેલું અને ઠીક લાગે છે. મારા એકાઉન્ટમાં જે રૂપિયા છે તે બહેનના મેરેજમાં વાપરજો. એટલી ખુશી છે કે બે વર્ષ એપ્રેન્ટીસ કરીને ઘરમાં થોડી ઘણી મદદ કરી શક્યો, I am sorry પપ્પા, મમ્મી, બહેન, ભાઇ”.

“મારી આ બે ઈચ્છાઓ પૂરી કરજો”
જયેશે સુસાઇડ નોટમાં પોતાની છેલ્લી બે ઇચ્છા પણ કહી હતી કે, (1) મારા અંગોનું દાન કરજો જેથી કોઈને નવું જીવન મળી શકે (2) મૃત્યુ પછી થતી બધી ક્રિયાઓને હું વ્યર્થ માનું છું તો મારી પાછળ કોઈ પણ જાતનો ખર્ચ કરવામાં ન આવે અને તેના બદલે પચીસ-પચાસ વૃક્ષો વાવી દેજો. મારે વૃક્ષ વાવવાના હતા પણ નથી વાવી શક્યો, મારી આ બે ઇચ્છાઓ છે જે પૂરી કરજો.

“ભગતસિંહ કે ભગવાન મને માફ નહીં કરે”
જયેશે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે ભગતસિંહ કે ભગવાન બંનેમાંથી તેને કોઇ માફ નહી કરે આમ કહીને તેણે જીવન ટુંકાવ્યું હતું. તેણે લખ્યું હતું કે “અફસોસ એ છે કે એક સમયે ભગતસિંહ 23 વર્ષની ઉંમરે દેશ માટે ફાંસી પર લટક્યા હતા અને હું મારી જિંદગીથી ભાગીને-કંટાળીને આ કરી રહ્યો છું, ભગતસિંહ કે ભગવાન કોઈ મને માફ નહીં કરે.”

યુવકના આપઘાતથી પંથકમાં ચકચાર
ગોંડલના આ 23 વર્ષીય યુવકના આપઘાતથી પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘણા સમયથી કોમ્પિટીટીવ એક્ઝામને લઇને સવાલો ઉભા થઇ રહ્યા છે, ક્યારેક એક્ઝામમાં ગેરરીતિ સામે આવે, તો ક્યારેક એક્ઝામ નિયત સમય કરતા વહેલી કે મોડી યોજાય. જેની અસર સીધી વિદ્યાર્થીના મગજ પર થતી હોય છે. ત્યારે પોતાનો જીવ દાવ પર લગાડીને મહેનત કરતા જયેશ જેવા વિદ્યાર્થીઓ સુસાઈડ જેવું ન ભરવા જેવું પગલું ભરી બેસે છે, જે કોઈ છેલ્લો વિકલ્પ તો નથી જ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page