Monday, April 15, 2024
Google search engine
HomeFeature Rightગુજરાત કેડરની મહિલા IASએ આ IAS ઓફિસર સાથે કર્યાં લગ્ન, જુઓ તસવીરો

ગુજરાત કેડરની મહિલા IASએ આ IAS ઓફિસર સાથે કર્યાં લગ્ન, જુઓ તસવીરો

પંચકૂલાઃ હરિયાણાના આઈએએસ કેડરમાં વધુ એક મહિલા અધિકારી સામેલ થઈ છે. 2015 બેચની ગુજરાત કેડરની આઈએએસ નેહાના લગ્ન હરિયાણા કેડરના 2015 બેચના જ આઈએએસ રાહુલ હુડ્ડા સાથે થયા. આ કારણે નેહાને ગુજરાતથી હરિયાણામાં ઈન્ટર કેડર ટ્રાન્સફર આપવામા આવ્યું. હરિયાણામાં એવા ઘણા આઈએએસ અને આઈપીએસ છે, જેમને તેમના લગ્નના પરિણામે હરિયાણા કેડર એલોટ કરવામા આવ્યું.

ગત 16 જુલાઈએ કેન્દ્ર સરકારના ડીઓપીટી દ્વારા આઈએએસ કેડર નિયમ 1954 હેઠળ નોટિફિકેશન જાહેર કર્યું હતું, જેમાં ઉલ્લેખ કરાયો છે કે, નેહાને હરિયાણા ટ્રાન્સફર કરવા મુદ્દે ગુજરાત અને હરિયાણા સરકાર વચ્ચે સહમતિ થઈ છે. ડિસેમ્બર 2015માં રાહુલ હુડ્ડાને હિમાચલ કેડર એલોટ કરાયું હતું પરંતુ તેમને પછી હરિયાણા કેડરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, કારણ કે ત્યારે તેમણે હરિયાણા કેડરની 2011 બેચની એક મહિલા આઈપીએસ સાથે લગ્ન કર્યા હતા.

રાહુલનું ગૃહ રાજ્ય દિલ્હી છે. અમુક વર્ષ બાદ તેના મહિલા આઈપીએસ સાથે છૂટાછેડા થયા. જે પછી રાહુલે 2015 બેચની ગુજરાત કેડરની નેહા સાથે લગ્ન કર્યા હતા. જેના પરિણામે નેહાને હરિયાણા કેડરમાં ટ્રાન્સફર કરવામા આવી છે. નેહાનું ગૃહ રાજ્ય બિહાર છે. રાહુલ હાલ 4 મહિના માટે વિદેશ ગયા છે અને હાલ રજા પર છે.

હરિયાણા કેડરમાં 2015 બેચમાં 4 અન્ય આઈએએસ મોહમ્મદ ઈમરાન રઝા, પ્રશાંત પંવાર, પ્રીતિ અને ઉત્તમ સિંહ પણ સામેલ છે. કેન્દ્ર સરકારના નિયમોમાં એ જોગવાઈ છે કે, જો પતિ-પત્ની ઈચ્છે તો કેન્દ્ર સરકાર તેમને કોઈ ત્રીજા રાજ્યનું કેડર એલોટ કરી શકે છે. અગાઉ 2015-16માં સમગ્ર દેશમાં સિવિલ સર્વિસમાં પ્રથમ ક્રમ મેળવનાર ટીના ડાબી, જે મૂળ મધ્ય પ્રદેશની છે.

તેના લગ્ન તે પરીક્ષામાં બીજો ક્રમ મેળવનાર જમ્મુ-કાશ્મીરના અથર આમિર ઉલ શફી ખાન સાથે થયા હતા. જે પછી તેમને સમાન રાજસ્થાન કેડર ફાળવવામાં આવ્યું હતું. જોકે તેમણે સહમતિથી છૂટાછેડા લેવાની અપીલ દાખલ કરી છે, જે હાલ કોર્ટમાં પેન્ડિંગ છે. ફેબ્રુઆરીમાં ખાનને 3 વર્ષ માટે ઈન્ટર કેડર ડેપ્યુટેશન પર તેમના ગૃહ રાજ્ય જમ્મુ-કાશ્મીર મોકલવામા આવ્યા છે.

હરિયાણામાં 2 અન્ય કેસ આ વર્ષે જ 9 માર્ચે સામે આવ્યા. જેમાં સિક્કિમ કેડરના 2019 બેચના આઈએસ આનંદ કુમાર શર્માએ હરિયાણા કેડરની 2018 બેચની આઈપીએસ પૂજા વશિષ્ઠ સાથે લગ્ન કર્યા હતા. જેથી આનંદનું કેડર સિક્કિમથી બદલી હરિયાણા કરવામા આવ્યું હતું. આવી જ રીતે આઈએએસ અજય સિંહ તોમરની હરિયાણા કેડરમાં ટ્રાન્સફર કરવામા આવી હતી, કારણ કે તેમણે 2013 બેચ હરિયાણા કેડરની આઈએએસ સંગીતા તેતરવાલ સાથે લગ્ન કર્યા હતા.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of wonder! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of inspiring insights! ? Dive into this exciting adventure of knowledge and let your imagination fly! ? Don’t just explore, experience the thrill! #BeyondTheOrdinary ? will thank you for this thrilling joyride through the dimensions of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page