અમદાવાદ: કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ ફરી ચર્ચામાં છે. હાર્દિકે પટેલ એક ટ્વિટ કરીને ગુમ થયેલા વિમાન AN-32ને પરત લાવવા ચીન પર હુમલો કરવાની વડાપ્રધાન મોદીને સલાહ આપી હતી. બીજી તરફ આ ટ્વિટથી હાર્દિક ટ્રોલ થઈ રહ્યો છે, કેમ કે ગુમ થયેલા વિમાનનો કાટમાળ અરૂણાચલપ્રદેશમાં મળી આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ પણ રિટ્વિટ કરીને હાર્દિકને જોરદાર જવાબ આપ્યો હતો.
હાર્દિક પટેલે ગઈ કાલ મંગળવારે એક ટ્વિટ કરી કરી હતી, ”ચીન મુર્દાબાદ હતું અને મુર્દાબાદ રહેશે. ચીનને કહેવા માંગીએ છીએ અમારું વિમાન AN-32 અને જવાન પરત આપે. મોદી સાહેબ ચિંતા ના કરો, અમે બધા તમારે સાથે થઈ છીએ. ચીન પર સર્જિકલ સ્ટ્રાઈલ કરો અને આપણાં જવાનોને પરત લાવો.”
હાર્દિકની આ ટ્વિટથી લોકોએ તેને ઘેરી લીધો હતો. ઘણા યુઝર્સે હાર્દિકને ટ્રોલ કરતાં લખ્યું કે સમાચારો પર પણ ધ્યાન આપો. એક યુઝરે લખ્યું- ”અરૂણાચલપ્રદેશ ક્યારથી ચીનમાં આવી ગયું. વિમાનનો કાટમાળ મળી ગયો છે. સમાચારો પર પણ ધ્યાન રાખો.” બીજી તરફ કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી કિરણ રિજ્જૂએ હાર્દિક પટેલ પર પલટવાર કરતાં પૂછ્યું કે ”તમે કોંગ્રેસ પાર્ટીના એક નેતા છો, શું તમને ખબર થે અરૂણાચલપ્રદેશ ક્યાં આવેલું છે?”
નોંધનીય છે કે ત્રીજી જૂને ગુમ થયેલા ભારતીય વાયુ સેનાનું AN-32 વિમાનો કાટમાળ ગઈકાલે અરૂણાચલપ્રદેશમાં જંગલમાં મળી આવ્યો હતો. આજે વાયુસેના પોતાના ગરૂડ કમાન્ડોને આ જંગલમાં એરડ્રોપ કરીને રાહત અભિયાન ચાલવશે.
ananin amina ayagimi sokucam az kaldi