નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ દ્વારા જનતા દળ યૂનાઈટેડ (જેડીયૂ)ની ઈફ્તાર પાર્ટી પર સવાલ ઉઠાવ્યા હતા ત્યાર બાદ બંને રાજકીય પક્ષો વચ્ચે વિવાદ સર્જાયો છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે ગિરિરાજ સિંહને વળતો જવાબ આપતા કહ્યું હતું કે, તેઓ આમ એટલા માટે કરે છે કે, જેથી કરીને તે ચર્ચામાં બની રહે. હવે આ મામલે ગૃહમંત્રી અમિત શાહે ગિરિરાજ સિંહને ઠપકો આપતાં બરાબરના ખખડાવ્યા છે.
BJP President Amit Shah has called and asked Union Minister Giriraj Singh to avoid making statements (Singh tweeted pictures & commented on Bihar CM Nitish Kumar and other leaders attending ‘Iftar’ parties) pic.twitter.com/Wgc5XzOba3
— ANI (@ANI) June 4, 2019
બિહારની રાજધાની પટનામાં હાર્ફિંગ રોદ પર આવેલા હજ હાઉસમાં સોમવારે જેડીયૂ દ્વારા ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મંગળવારે ભાજપના નેતા અને કેન્દ્રીય રાજ્ય મંત્રી ગિરિરાજ સિંહે નીતીશ કુમારને ટોણોં માર્યો હતો. જેને લઈને બંને પાર્ટી વચ્ચે અગાઉથી ચાલી રહેલો વિવાદ વધુ વર્ક્યો હતો. જેડીયૂના નેતા અશોક ચૌધરીએ વળતો જવાબ આપતા કહ્યું હતું કે, ગિરિરાજ સિંહની એટલી હેસિયત જ નથી કે તે નીતીશ કુમારને સલાહ આપી શકે.
ભાજપ અને જેડીયૂ વચ્ચે વિવાદ વધતા ગૃહમંત્રી અમિત શાહે ગિરિરાજ સિંહને ફોન કરીને બરાબરના ખખડાવ્યા હતાં. અમિત શાહે આ મામલે ટ્વિટ કરીને પણ ગિરિરાજ સિંહને સલાહ આપી હતી કે, તે આ પ્રકારની નિવેદનબાજીથી ના કરે.
Bihar CM & JD(U) leader Nitish Kumar on Union Minister Giriraj Singh’s tweet on Iftar: He (Giriraj Singh) does all this so that media makes news out of it. pic.twitter.com/DXti8QKxtB
— ANI (@ANI) June 4, 2019
ગિરિરાજ સિંહે જેડેયૂની ઈફ્તાર પાર્ટી પર ટોણોં મારતા ટ્વિટ કર્યું હતું કે, કેટલી સુંદર તસવીર હોત જો આટલો જ પ્રેમ નવરાત્રીએ દરમિયાન ફળાહારનું આયોજન કરવામાં આવ્યું હોત અને સુંદર ફોટો આવત. પોતાના કર્મ ધર્મમાં આપણે કેમ પાછળ રહી જઈએ છીએ અને દેખાડો કરવામાં કેમ આગલ નિકળી જઈએ છીએ.