Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalCM નીતિશ કુમારને ટોણોં મારનાર ગિરિરાજ સિંહને ફોન કરીને અમિત શાહે બરાબરના...

CM નીતિશ કુમારને ટોણોં મારનાર ગિરિરાજ સિંહને ફોન કરીને અમિત શાહે બરાબરના ખખડાવ્યા

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ દ્વારા જનતા દળ યૂનાઈટેડ (જેડીયૂ)ની ઈફ્તાર પાર્ટી પર સવાલ ઉઠાવ્યા હતા ત્યાર બાદ બંને રાજકીય પક્ષો વચ્ચે વિવાદ સર્જાયો છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે ગિરિરાજ સિંહને વળતો જવાબ આપતા કહ્યું હતું કે, તેઓ આમ એટલા માટે કરે છે કે, જેથી કરીને તે ચર્ચામાં બની રહે. હવે આ મામલે ગૃહમંત્રી અમિત શાહે ગિરિરાજ સિંહને ઠપકો આપતાં બરાબરના ખખડાવ્યા છે.


બિહારની રાજધાની પટનામાં હાર્ફિંગ રોદ પર આવેલા હજ હાઉસમાં સોમવારે જેડીયૂ દ્વારા ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મંગળવારે ભાજપના નેતા અને કેન્દ્રીય રાજ્ય મંત્રી ગિરિરાજ સિંહે નીતીશ કુમારને ટોણોં માર્યો હતો. જેને લઈને બંને પાર્ટી વચ્ચે અગાઉથી ચાલી રહેલો વિવાદ વધુ વર્ક્યો હતો. જેડીયૂના નેતા અશોક ચૌધરીએ વળતો જવાબ આપતા કહ્યું હતું કે, ગિરિરાજ સિંહની એટલી હેસિયત જ નથી કે તે નીતીશ કુમારને સલાહ આપી શકે.

ભાજપ અને જેડીયૂ વચ્ચે વિવાદ વધતા ગૃહમંત્રી અમિત શાહે ગિરિરાજ સિંહને ફોન કરીને બરાબરના ખખડાવ્યા હતાં. અમિત શાહે આ મામલે ટ્વિટ કરીને પણ ગિરિરાજ સિંહને સલાહ આપી હતી કે, તે આ પ્રકારની નિવેદનબાજીથી ના કરે.


ગિરિરાજ સિંહે જેડેયૂની ઈફ્તાર પાર્ટી પર ટોણોં મારતા ટ્વિટ કર્યું હતું કે, કેટલી સુંદર તસવીર હોત જો આટલો જ પ્રેમ નવરાત્રીએ દરમિયાન ફળાહારનું આયોજન કરવામાં આવ્યું હોત અને સુંદર ફોટો આવત. પોતાના કર્મ ધર્મમાં આપણે કેમ પાછળ રહી જઈએ છીએ અને દેખાડો કરવામાં કેમ આગલ નિકળી જઈએ છીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page