Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalપતિ રાહુલના મોત બાદ દિયર પ્રદીય સાથે લગ્ન કર્યા અને પછી...

પતિ રાહુલના મોત બાદ દિયર પ્રદીય સાથે લગ્ન કર્યા અને પછી…

મેરઠના શાસ્ત્રીનગરમાં બુધવારે દિન-દહાડે થયેલ પ્રદીપ શર્માની હત્યાનો પોલીસે ખુલાસો કરી લીધો છે. પ્રદીપની હત્યા તેની જ પત્ની નીતૂ શર્માએ પોતાના માસિયાઈ ભાઈ અને શૂટરો પાસે કરાવી. પોલીસે હત્યાની માસ્ટર માઈન્ડ પત્નીની ધરપકડ કરી લીધી છે. પ્રદીપ, નીતૂનો બીજો પતિ હતો, જે સંબંધોમાં તેનો દિયર પણ હતો. પહેલા પતિના મૃત્યુ બાદ નીતૂ શર્માએ તેના દિયર પ્રદીપ શર્મા સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. પોલીસ પૂછપરછમાં માસ્ટરમાઈન્ડ નીતૂ શર્માએ જે જણાવ્યું, તેને સાંભળીને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે પોલીસને જણાવ્યું કે, આવી જિંદગી કરતાં તો વિધવાનું જીવન વધુ સારું. પતિની હત્યાના ગુનામાં નીતૂ શર્મા અત્યારે જેલમાં છે.

વાંચો બુધવાનો ક્રાઈમ સીન…..
13 સપ્ટેમ્બરની બપોરનો સમય હતો. પ્રદીપ શર્મા (34), એલ-2/1727 માં ઘરેથી નીકળ્યો હતો. આ જ સમયે બાઇકપર બે હુમલાખોરો આવ્યા અને પ્રદીપની છાતિમાં પિસ્ટલથી ગોળી મારી દે છે. પ્રદીપ લોહીથી લથપથ હાલતમાં જમીન પર પડ્યો. આસપાસના લોકો ઘાયલ પ્રદીપને મેડિકલ કૉલેજ લઈ જાય છે, જ્યાં ડૉક્ટર તેને મૄત જાહેર કરે છે.

હવે શોધ શરૂ થાય છે હત્યારાઓની. એસપી સિટી પીયૂષ કુમાર સિંહ પર ઘટનાસ્થળે પહોંચી જાય છે. પોલીસ પ્રદીપનાં પરિવારજનોને પણ માહિતી આપે છે. આ જ સમયે, પ્રદીપના પિતા દેવેન્દ્ર શર્મા પોલીસને જણાવે છે કે, હત્યા કોઈ બીજાએ નહીં, પરંતુ મારી પુત્રવધુ અને પ્રદીપની પત્ની નીતૂએ જ કરાવી છે.

2016 માં પહેલા પતિનું મૃત્યુ
બાગપતના સબકા ગામની રહેવાસી નીતૂ શર્મા (34) નાં લગ્ન 7 જુલાઈ 2007 ના રોજ મેરઠના બમનપુરના રાહુલ સર્મા સાથે થયાં હતાં. રાહુલ મેરઠ શહેરમાં શાસ્ત્રીનગરમાં રહેતો હતો. 8 નવેમ્બર 2016 ના રોજ નીતૂ શર્માના પહેલા પતિ રાહુલનું મવાના રોડ પર રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થયું.

પતિ રાહુલના મૃત્યુ બાદ નીતૂએ તેના દિયર પ્રદીપ શર્મા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. પહેલા પતિના મૃત્યુના 8 મહિના બાદ જ નીતૂએ તેના દિયર પ્રદીપ સાથે કૉર્ટ મેરેજ કરી લીધાં. પ્રદીપના પિતા દેવેન્દ્ર પણ એ જ વિચારતા હતા કે, મોટા દીકરાનું મૃત્યુ થઈ ગયું છે તો, હવે પુત્રવધુ ક્યાં જશે અને ક્યાં રહેશે? પરંતુ તેમને ખબર નહોંતી કે, નીતૂ શર્મા તેમના બીજા દીકરા પ્રદીપનો જીવ લઈ લેશે.

નીતૂએ પોલીસને જણાવ્યું.. દારૂ પીને પ્રદીપ કરતો હતો અપમાન
પત્ની નીતૂએ પોલીસ સામે પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેણે પોલીસને જણાવ્યું કે, પ્રદીપ પહેલાં મારો દિયર હતો, પરંતુ પછી મેં તેની સાથે લગ્ન કર્યાં. પરંતુ લગ્ન બાદ પ્રદીપનો વ્યવહાર બદલાઈ ગયો. તે દારૂ પીને મને ટૉર્ચર કરતો હતો. ભાઈના મૃત્યુ બાદ પૈસા ઉડાવવા લાગ્યો હતો. પ્રદીપે ફેબ્રુઆરી 2022 માં પત્નીના માસિયાઈ ભાઈ દીપાંશુ શર્મા વિરૂદ્ધ જીવલેણ હુમલાનો કેસ કરી દીધો.

આવા જીવન કરતાં તો વિધવા જ સારી
પૂછપરછમાં નીતૂ શર્માએ જણાવ્યું કે, હું બહું જ ખોઈ ચૂકી છું, પહેલાં પતિ રાહુલનો જીવ ગયો, ત્યારબાદ ઘર ચલાવવા માટે પ્રદીપ સાથે લગ્ન કર્યાં. પરંતુ પ્રદીપ પણ મને ટૉર્ચર કરવા લાગ્યો. તે રાત્રે બહુ મોડો ઘરે આવતો હતો. ઘણીવાર તો આવતો જ નહોંતો. પિતાએ પોતાના પિતાની ગામની જમીન પણ વેચાવી દીધી અને મને પૈસા આપવા નહોંતો ઈચ્છતો. હું જે ઘરમાં રહું છું, તેને વેચવાનો પણ પતિ પ્રદીપે સોદો કરી દીધો હતો. હું આર્થિક અને માનસિક રૂપે તૂટી ગઈ હતી. મેં આ વાત મારા માસિયાઈ ભાઈ દીપાંશુને કહી. ત્યારબાદ તેની સાથે મળીને પતિ પ્રદીપની હત્યાનું કાવતરું ગઢ્યું. નીતૂએ પોલીસને કહ્યું કે, હું વિધવા જ સારી છું.

1.5 લાખમાં હાયર કર્યા શૂટર
નીતૂ શર્માએ પોલીસને જણાવ્યું કે, મારા ભાઈ દીપાંશુની મદદથી મેં દોઢ લાખ રૂપિયામાં શૂટર હાયર કર્યા. 8 સપ્ટેમ્બરે હું મારા ભાઈ દીપાંશુ સાથે શૂટરને મળી. જ્યાં પ્રદીપની હત્યાનો સોદો કરવામાં આવ્યો.

પ્લાનિંગ કર્યું અને પ્રદીપ શર્માને નિર્ણય લેવાની વાત કરી ઘરે બોલાવવામાં આવે અને તક મળતાં જ હત્યા કરી દેવામાં આવે. નીતૂને પતિ પ્રદીપને કહ્યું કે, તે મારાં બે બાળકો પીયૂષ શર્મા અને પીહૂ શર્માના નામે 5-5 લાખ રૂપિયાની એફડી કરી દેશે તો હું તેને મારાં બાળકો સાથે ઘરમાં રાખી લઈશ.

જેના જવાબમાં પ્રદીપે કહ્યું કે, તે તૈયાર છે. બુધવારે પ્રદીપ તેના ઘરે ગયો. પહેલાંથી જ શૂટર મનીષ અને સમીર બાઈક પર મંદિરની પાસે ઊભા હતા. પ્રદીપ તેના મિત્ર ભીષ્મની ગાડીમાં ગયો હતો. આ જ સમયે દરવાજે ઊભેલ પત્ની નીતૂએ કહ્યું બેન્ક જવાનું છે, તું શ્રાદ્ધનો વાસ મૂકી આવ. પ્રદીપ શ્રાદ્ધનો વાસ મૂકવા ગયો, આ જ સમયે પાછળથી બે શૂટર સમીર અને મનીષે હત્યા કરી નાખી. ગેસુપરના નિવાસી શૂટર સમીરની ભાવનપુર પોલીસે ગુરૂવારે ધરપકડ કરી દીધી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page