ભોપાલઃ મધ્યપ્રદેશના દેપાલપુરના પીર પીપલિયા ગામના લોકોએ એવું કામ કર્યું છે, જેને જોઈને તમારા ચહેરા પર હાસ્ય આવી જાય. પીર પીપલિયા ગામમાં રહેતાં હવાલદાર મોહન સિંહ સુનેર ત્રિપુરામાં બીએસએફમાં આતંકીઓ સામે લડતાં લડતાં શહીદ થયા હતાં. 27 વર્ષથી તેમનો પરિવાર આ ગામમાં કાચા મકાનમાં રહેતો હતો. સરકારે ક્યારેય તેની નોંધ સુદ્ધાં લીધી નહીં. થોડાં દિવસ પહેલાં જ ગામ લોકોએ પૈસા ભેગા કરીને 11 લાખ જમા કર્યાં હતાં. ત્યારબાદ શહીદની વિધવા પત્ની રાજુબાઈને આ ઘર રક્ષાબંધન પર ગિફ્ટમાં આપ્યું હતું.
અનોખી રીતે આપી ગિફ્ટઃ
ગામના ભાઈઓએ શહીદની વિધવાને અનોખી રીતે ગિફ્ટ આપી હતી. તેમણે આંગણામાં હાથની હથેળીઓ મૂકી હતી અને તેના પર ચાલીને રાજુબાઈએ ગૃહ પ્રવેશ કર્યો હતો. સીમા સુરક્ષા બળમાં તૈનાત મોહનલાલ શહીદ થયા ત્યારબાદથી પરિવાર મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. 700 રૂપિયામાં ત્રણ જણનું પૂરું કરવું શક્ય નહોતું.
@narendramodi @nsitharaman @INCIndia @BJP4India 27 साल देपालपुर के शहीद परिवार की आपने सुध नहीं ली, गांववालों ने पक्का मकान बनाकर शहीद की पत्नी को भेंट किया, नमन! @ndtvindia @shailendranrb @PoliceWaliPblic @ajaiksaran @nishatshamsi @avinashonly @shailgwalior pic.twitter.com/2adhJDyPet
— Anurag Dwary (@Anurag_Dwary) August 16, 2019
એક યુવાનોએ અભિયાન શરૂ કર્યું
શહીદ પરિવારની સ્થિતિ જોઈને યુવાનોએ એક અભિયાન શરૂ કર્યું હતું અને જોત જોતામાં 11 લાખ રૂપિયા જમા થયા અને તેનાથી આ ઘર બનાવવામાં આવ્યું હતું.
હવે પ્રતિમા લગાવશે
ગામના લોકો હવે પીર પિપલયાના મેઈન રસ્તા પર શહીદની પ્રતિમા લગાવશે. આ સાથે જ જે સરકારી સ્કૂલમાં તેઓ ભણ્યાં છે, તેનું નામ શહીદના નામ પર કરશે.
? Wow, this blog is like a cosmic journey soaring into the universe of wonder! ? The captivating content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exhilarating insights! #AdventureAwaits Dive into this thrilling experience of imagination and let your thoughts roam! ✨ Don’t just explore, experience the thrill! ? Your brain will thank you for this exciting journey through the worlds of awe! ?