અમદાવાદઃ Global Hunger Index, 2018ના રિપોર્ટ પ્રમાણે, 119 દેશોમાં ભારત 103 નંબર છે. આ યાદીમાં ભારત પડોશી દેશો ચીન, નેપાળ, બર્મા, શ્રીલંકા તથા બાંગ્લાદેશથી પાછળ છે. ભારતમાં એક બાજુ રોજ હજારો કિલો ભોજન ફેંકી દેવામાં આવે છે, તો બીજી બાજુ ભારતમાં અનેક વ્યક્તિઓ ભૂખ્યાં સૂઈ રહે છે. આવી ગંભીર હાલત હોવા છતાંય આપણે રોજ ભોજન એમ જ કચરામાં ફેંકી દઈએ છીએ. જોકે, એવા પણ કેટલાંક વ્યક્તિ છે, જે આ સ્થિતિને સુધરવાનો પ્રયાસ કરે છે. આવો જ એક વ્યક્તિ ઝારખંડનો જમશેદપુરનો હરિસિંહ છે. તે ઈલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને પોતાના શહેરના ભૂખ્યા લોકો માટે એક સેવા યજ્ઞ શરૂ કર્યો છે.
The Logical Indian પ્રમાણે, હરિએ વોઈસ ઓફ હ્યુમાનિટી નામની સંસ્થા શરૂ કરી છે, જેનો ઉદ્દેશ એ છે કે કોઈ ભૂખ્યું ના સુએ.
2015મા શરૂઆત
વર્ષ 2015મા થોડાંક સ્વંયસેવકો સાથે હરીએ વોઈસ ઓફ હ્યુમાનિટીની શરૂઆત કરી હતી. હાલમાં આ સંસ્થામાં 250 લોકો કામ કરે છે. તેમજ ગરીબ તથા અસહાય લોકોની મદદ કરે છે.