મુંબઈ: હાલ ‘કૌન બનેગા કરોડપતિ’ સીઝન 11 ચાલુ છે અને દરેક સીઝનમાં આ શો ટીઆરપીની ટોપ લિસ્ટમાં રહે છે. બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનનો શોને રજૂ કરવાનો અંદાજ દરેક સીઝનમાં દર્શકોને ખૂબ જકડી રાખતો હોય છે. રિયાલીટી શોમાં અત્યાર સુધી ઘણાં પ્રતિયોગી રાતો રાત કરોડપતિ થતાં આપણે જોયા છે. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે, ‘કૌન બનેગા કરોડપતિ’ શો પાછળનો અસલી માસ્ટર માઈન્ડ અમિતાભ બચ્ચન નહીં પરંતુ અન્ય એક ખાસ વ્યક્તિ છે.
‘કૌન બનેગા કરોડપતિ’ શો પાછળ તેના નિર્દેશક અરુણ શેષકુમારનું માઈન્ડ છે. અરુણ શેષકુમારે પોતાના કરિયરમાં ઘણાં હિટ શો આપ્યા છે. અરુણ રિયાલિટી શોને હિટ કરવામાં માહેર માનવામાં આવે છે. અરુણે ટીવીની ઓડિયન્સને બાકી શોથી અલગ કન્ટેન્ટ આપ્યું છે અને તે રાતોરાત સ્ટાર બની ગયા હતાં.
આ પહેલા અરુણ કુમાર ‘સત્યમેવ જયતે’, ‘સચ કા સામના’, ‘ઈન્ડીયાઝ ગોટ ટેલેન્ટ’, ‘નચ બલિયે’ અને ‘ઝલક દિખલા ઝા’ જેવા રિયાલીટી શો આપી ચૂક્યા છે. આ ગેમ શો પાછળ પણ અરુણનું જ માસ્ટર માઈન્ડ છે.
‘કૌન બનેગા કરોડપતિ’ શો અમિતાભ બચ્ચનના દિલની ખૂબ નિકટ છે અને તે મેકિંગ સુધી દરેક બાબત પર ધ્યાન આપતાં હોય છે. શો વિશે અરુણ શેષકુમારે જણાવ્યું હતું કે, અમિતાભ બચ્ચન માત્ર શો હોસ્ટ કરતાં નથી પરંતુ તેના મેકિંગમાં પણ સંપૂર્ણ રીતે શામેલ છે. કેબીસીની ટીમને તેઓ મળે છે અને દરેક વસ્તુની પહેલા પ્રેક્ટિસ કરે છે.