ચેન્નાઈઃ બાળકોને સ્કૂલમાં માત્ર ચોખ્ખુ પીવાલાયક પાણી મળી રહે તે પૂરતુ નથી. તે સમય સમય પર પાણી પીવે તે પણ જરૂરી છે. બાળકો રમતમાં, અભ્યાસમાં મગ્ન હોય છે અને ઘણીવાર ખાવા-પીવાનું ભૂલી જાય છે. સરકારે જમવાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે મીડ ડે મીલની શરૂઆત કરે છે પરંતુ પાણીનું શું? પાણીની અછતને કારણે ડિહાઈડ્રેશનનો ભોગ બનીએ છીએ.
એક રિપોર્ટ પ્રમાણે, કેરળની સ્કૂલોમાં લંચ બ્રેક, પીરિયડ પૂરો થયા બાદ પણ ઘંટ વાગે છે, જેને વોટર બેલ કહેવામાં આવે છે, જેમાં બાળકોએ પાણી પીવાનું હોય છે.
કેરળની જેમ જ હવે કર્ણાટક, તમિળનાડુ તથા તેલંગાણાની સ્કૂલ્સમાં વોટર બેલ વગાડવામાં આવશે. ગુજરાતમાં આમ ક્યારે થશે તે ખબર નથી. કર્ણાટકના Uppinangadyમાં આવેલી ઈન્દ્રપ્રસ્થ વિદ્યાલયે વોટર બેલની શરૂઆત કરી છે. આ નિર્ણય પેરેન્ટ્સની ફરિયાદ બાદ લેવામાં આવ્યો છે. પેરેન્ટ્સે ફરિયાદ કરી હતી કે બાળકો પાણીની બોટલ લઈ જાય છે પરંતુ પીતા નથી.
એક રિપોર્ટ પ્રમાણે, તેલંગાણાના શિક્ષણમંત્રી પી. સબિથા ઈન્દ્રા રેડ્ડીએ તમામ ડિસ્ટ્રીક્ટ એજ્યુકેશન ઓફિસર્સને વોટર બેલ વગાડવાની સૂચના આપી દીધી છે.