પ્રયાગરાજઃ હાલમાં જ ઉત્તરાખંડ સરકારે કોરોનાને કારણે કુંભ મેળો અધવચ્ચેથી બંધ કરવાની જાહેરાત કરી હતી. 2019માં પ્રયાગરાજમાં કુંભમેળો યોજાયો હતો. દરેક અખાડાના સંતો કુંભમેળામાં આવ્યા હતા. ઘણાં સાધુ સંતો પહેલાં સારી જોબ કરતા હતા અને કરોડોમાં રમતા હતા. જોકે, તેમણે પોતાની ઈચ્છાને કારણે નોકરી ને પરિવારને લાત મારીને સાધુ બનવાનું નક્કી કર્યું હતું. આજે આપણે કોઈ પુરુષ નહીં, પરંતુ મહિલા અઘોરી અંગે વાત કરીશું.
આ મહિલાએ 2019માં આયોજીત કુંભમેળામાં આ મહિલા સેન્ટર ફોર એટ્રેક્શન બની હતી. આ અઘોરી મહિલાનું નામ પ્રત્યંગીરા નાથ છે. પ્રત્યંગીરા ભણેલીગણેલી તથા પરિણીત છે. તેને દીકરી પણ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પ્રત્યંગીરા સોફ્ટવેર કંપનીમાં નોકરી હતી. જોકે, હવે તે અઘરો મહિલા બની ગઈ છે.
હૈદરાબાદમાં જોબ કરી હતીઃ પ્રત્યંગીરા મૂળ હૈદરાબાદની છે. તેણે એમબીએ કર્યું છે. પ્રત્યંગીરા પાસે બધું હતું. જોકે, તેણે સંન્યાસ લેવા અંગે કહ્યું હતું કે તેની પોતાની ઈચ્છાથી તેણે સંન્યાસ લીધો અને તે અઘોરી બની.
સોફ્ટવેર કંપનીમાં કામઃ 2007માં પ્રત્યંગીરાએ લગ્ન કર્યા હતા. હૈદારબાદની સોફ્ટવેર કંપનીમાં તે કામ કરતી હતી. તેમનું લગ્નજીવન ઘણું જ સહજતાથી પસાર થતું હતું. તેની દીકરી પમ આઠ વર્ષની થઈ ગઈ હતી. જોકે, પછી બધાનો જ ત્યાગ કર્યો અને સ્મશાનમાં એકલી રહેવા લાગી હતી.
લોકકલ્યાણ માટે અઘોરી બનીઃ પ્રત્યંગીરાએ કહ્યું હતું કે સંસારમાંથી મન ઉઠી ગયું હતું અને તે લોકોનું કલ્યાણ કરવા માગતી હતી. આથી જ તે અઘોરી બની ગઈ. તે સ્મશાનમાં પૂજા કરે છે. દૈવીય ઉર્જાથી લોકોના દુઃખ દૂર કરવા માગે છે. અઘોરી હોવા છતાંય તે દીકરીને ઘણીવાર મળે છે. તેની દીકરીનું નામ લોચનશ્રી છે. તેને સાક્ષાત મહાકાલના આશીર્વાદ છે. તે શિવ ભક્ત છે અને ઓમ નમઃ શિવાયના જાપ કરીને ધ્યાન ધરે છે.