Saturday, April 13, 2024
Google search engine
HomeGujaratસાથે જીવી ન શક્યા તો સાથે મોતને વ્હાલું કર્યું, પરિણીતાના 4 દિવસ...

સાથે જીવી ન શક્યા તો સાથે મોતને વ્હાલું કર્યું, પરિણીતાના 4 દિવસ પહેલાં લગ્ન થયા હતા

એક ખૂબ જ આઘાતજનક બનાવમાં લગ્નના ચાર જ દિવસમાં પરિણીતાએ પ્રેમી સાથે જીવનનો અંત આણ્યો હતો. પરિણીતાના હાથનો મહેંદીનો રંગ પણ હજી ગયો નહોતો. ઘટનાથી યુવક અને યુવતી બંનેના પરિવારમાં સોપો પડી ગયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ ભચાઉ તાલુકાના ચોપડવા ગામ નજીક વાડીમાં પંચમહાલ જિલ્લામાંથી પરિણીત પ્રેમિકાને લઇને આવ્યા બાદ આ પ્રેમી યુગલે ગળે ફાંસો ખાઇ લઇ આત્મહત્યા કરી લીધી હતી. પરિણીતાના ચાર દિવસ પહેલાં અન્ય યુવક સાથે લગ્ન થયા હતા. જોકે મોડે સુધી આ બાબતે પોલીસ મથકે નોંધ કરવાની તજવીજ ચાલુ રહી હતી.

ભચાઉના ચોપડવા ગામ નજીક આવેલી વાડીમાં ગઈ કાલે પંચમહાલ જિલ્લાના રહેવાસી 24 વર્ષીય દિનેશભાઈ બાબુભાઈ ભેદી અને 19 વર્ષીય કાજલ રમણભાઈ ઉમાએ ઝાડમાં સાડી અને દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ સંગાથે અંતિમ પગલું ભરી લીધું હતું. બન્નેના મૃતદેહ પીએમ માટે સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતા.

ભચાઉની સરકારી હોસ્પિટલમાં એકત્ર થયેલા સંબંધી પાસેથી મળેલી વિગતો પ્રમાણે દિનેશ બાબુ ભેદી ગત વર્ષે વાડીમાં કામ કરવા માટે અહીં રહ્યો હતો ત્યારબાદ ગઈકાલે સવારે તે કાજલ રમણભાઈ ઉમાને લઈને આવ્યો હતો. કાજલના ચાર દિવસ પહેલાં લગ્ન અન્ય યુવક સાથે થયા હોવાનું પણ જણાવ્યું હતું. પરંતુ દિનેશ અને કાજલને આ માન્ય ન હતું.

પ્રેમ સબંધે બંધાયેલા બન્ને જણા કદાચ સંસાર વસાવવા અહીં સાથે આવ્યા હોય અને પરીવારને આ વાત મંજુર ન હોઇ બન્નેએ સાથે ગળે ફાંસો ખાઇ લઇ આ ફાની દુનિયાને અલવિદા કહી હોવાની ચર્ચા સંભળાઇ હતી. કાજલે લગ્નની લગાવેલી મેહંદી પણ હજુ નીકળી ન હતી બાકી પોલીસ તપાસમાં સાચું કારણ ખુલશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page