રિલિજીયન ડેસ્ક: આપણાં દેશમાં ઘણાં મંદિર છે. દરેક મંદિરમાં અલગ-અલગ પરંપરા છે. દેશમાં એક એવું પણ મંદિર છે, જ્યાં ભક્ત ચપ્પલ અને સેન્ડલ ચઢાવે છે. માન્યતા એવી છે કે દેવી મા રાત્રે આ ચપ્પલ અને સેન્ડલ ધારણ કરે છે.
પગ અને ઘૂંટણના દર્દ દૂર થાય તેવી માન્યતા
આ મંદિર કર્ણાટકના ગુલબર્ગામાં છે. આ મંદિરને લકમ્મા દેવી મંદિરના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિર લક્ષ્મીદેવું છે. કહેવામાં આવે છે કે અહીં એક લીંમડાનું ઝાડ છે, જેના પર અહીં આવતા ભક્તો ચપ્પલ અને સેન્ડલ ચઢાવે છે. માન્યતા છે કે ચપ્પલ અને સેન્ડલ ચઢાવવાથી દુ:ખ-દર્દ દૂર થાય છે. જેના પગ અને ઘૂંટણમાં દર્દ હોય છે, તે ભક્તો માતાને ચપ્પલ અને સેન્ડલ ચઢાવે તો તેમનું દર્દ હંમેશા માટે દૂર થઈ જાય છે. અહીં પગના દર્દથી પરેશાન ભક્તોની સંખ્યા વધુ હોય છે.
પહેલા મંદિરમાં આપવામાં આવતી હતી બળદોની બલિ
માન્યતા મુજબ પહેલા અહીં બળદોની બલિ આપવામાં આવતી હતી. પણ હવે સરકારે બળદોની બલિ પર પ્રતિબંધ મૂકી દીધો છે. અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે જ્યારથી બળદોની બલિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારથી અહીં શ્રદ્ધાળુંઓ ચપ્પલ ચઢાવવા લાગ્યા હતા અને ત્યારથી આ પરંપરા શરૂ થઈ હતી, જે હજી પણ ચાલે છે.
દૂર-દૂરથી આવે છે ભક્તો
આ મંદિરના પૂજારી મુસ્લિમ વ્યક્તિ બને છે. કહેવામાં આવે છે કે મુસ્લિમ સ્વેચ્છાએ આ મંદિરના પૂજારી બને છે. જેની પાછળ કોઈ તર્ક કે કહાની નથી. કહેવામાં આવી રહ્યું છે કે હિન્દુ અને મુસ્લિમ બંને પૂજા કરવા આવે છે અને માતાને ચપ્પલ અને સેન્ડલ ચઢાવે છે. અહીં દિવાળી પછી પાંચમનો મોટો મેળો ભરાય છે. ત્યારે દૂર-દૂર થી ભક્તો આવે છે અને લીંમડાના ઝાડ પર ચપ્પલ અને સેન્ડલ ટીંગાળે છે. આને ફૂટવેર ફેસ્ટીવલના નામથી પણ ઓળખવામાં આવે છે.
? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of endless possibilities! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! #AdventureAwaits Dive into this thrilling experience of imagination and let your imagination soar! ? Don’t just read, savor the excitement! #BeyondTheOrdinary Your brain will be grateful for this exciting journey through the dimensions of awe! ?