નાની-નાની વાતમાં હત્યાના બનાવો સામે આવતા રહે છે. લીંબુ માટે એક મહિલાની હત્યા કરવામાં આવી હતી. લીંબુ તોડવાના વિવાદમાં સાસુએ વહુની હત્યા કરી નાખી. એવું કહેવાય છે કે સાસુ તિરુપતિ દેવીનો તેની પુત્રવધૂ કાજલ દેવી સાથે લીંબુ તોડવાને લઈને વિવાદ થયો હતો. જ્યારે પુત્રવધૂએ વિરોધ કર્યો તો તેની સાસુ, નણંદ રીભા કુમારી અને જેઠ-જેઠાણી સાથે મળીને તેને બેરહેમીથી માર માર્યો હતો.
આનાથી પણ તેનું મન ન ભરાયું ના હતું. પછી તેને તેના ગળામાં દોરડું નાખીં ગળે ફાંસો આપતા જેના કારણે તેનું મૃત્યુ થયું. આ ઘટના બુધવારે છૌડાદનો પોલીસ સ્ટેશન વિસ્તારના ચેનપુર ગામમાં બની હતી. ઘટના બાદ ઘરના તમામ લોકો ભાગી ગયા હતા. ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આસપાસ લોકોની ભીડ હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
પોલીસે સાસુ-નણંદની ધરપકડ કરી હતી
ઘટના બાદ કાજલની માતા પ્રભા દેવીએ અરજી આપતાં સાસુ, નણંદ, જેઠ અને જેઠાણી પર પુત્રીનું ગળું દબાવી હત્યાનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું કે તેની પુત્રીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈને આરોપીઓની ધરપકડ કરવી જોઈએ. પોલીસના જણાવ્યા અનુસાર, બે આરોપીઓ (સાસુ અને ભાભી)ની ધરપકડ કરવામાં આવી છે. જેઠ-જેઠાણી ફરાર છે. તેમની શોધખોળ કરવામાં આવે છે.
કાજલની સાસુ તિરુપતિ દેવીએ જણાવ્યું કે લીંબુને લઈને કોઈ વિવાદ નહોતો. પુત્રવધૂ કાજલનો મારી પુત્રી સાથે રસોઈ બનાવવા બાબતે ઝઘડો થયો હતો. આ પછી મેં બંનેને સમજાવીને શાંત કર્યા. સાંજે હું મારી પુત્રી સાથે બજારમાં ગઈ હતી. જ્યારે તે પાછી આવી ત્યારે તેણે પુત્રવધૂને ફાંસીથી લટકતી જોઈ હતી. વકાજલના પિયરિયાં દ્વારા લગાવેલા આક્ષેપો પાયાવિહોણા છે. કેટલાક લોકો દ્વારા ફસાવવા માટે આ કરવામાં આવ્યું છે. લીંબુના ઝાડમાં હમણાં જ ફૂલ આવવાનું શરૂ થયું છે. જો કંઈપણ હોય તો તે ખૂબ નાનું છે. તે ખાવા માટે પણ યોગ્ય નથી.