Friday, April 12, 2024
Google search engine
HomeFeature Rightછોકરીએ ભાઈ સાથે જ કર્યાં લગ્ન તો ગુસ્સામાં મા-બાપે જીવતી દીકરીનું કરી...

છોકરીએ ભાઈ સાથે જ કર્યાં લગ્ન તો ગુસ્સામાં મા-બાપે જીવતી દીકરીનું કરી નાખ્યું શ્રાદ્ધ

બાગપત: જનપદમાં એક યુવતીના માતા-પિતાએ તેના જીવીત હોવા મુદ્દે શ્રાદ્ધ કર્યું છે. આ પાછળ લવ મેરેજનું કારણ જવાબદાર છે. યુવતીએ પોતાના સગા મામાના દીકરા સાથે લવ મેરેજ કર્યા. આ વાતથી દુઃખી થઈ યુવતીના પરિવારજનોએ પોતાની દીકરી સાથે સંબંધ તોડી નાંખ્યો હતો. જે પછી મંગળવારે દીકરીનું શ્રાદ્ધ પણ કરી દીધું.

બડૌત પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતી આઝાદનગર કોલોનીમાં રહેતા અનિલ કુમારની દીકરીને પોતાના સગા મામાના દીકરા સાથે પ્રેમ થયો હતો. તેઓ 29 સપ્ટેમ્બરે ઘર છોડી ભાગી ગયા હતા.

જે પછી તેમણે કોર્ટમાં લગ્ન કર્યા અને તંત્ર સમક્ષ સુરક્ષાની માંગ કરી હતી. આ સંબંધથી નારાજ થયેલા માતા-પિતાએ પોતાની દીકરી સાથે કાયમ માટે સંબંધ તોડી નાંખ્યો અને તેનું શ્રાદ્ધ પણ કરી નાંખ્યું.

યુવતીના પરિવારજનોએ કહ્યું કે- ‘બંને મામા-ફુઆના સંબંધથી ભાઈ-બહેન થાય છે. તેમણે ઘરેથી ભાગી પ્રેમ લગ્ન કર્યા અને સંબંધોને કલંકિત કર્યા છે.

તેથી અમે કાયમ માટે તેમનાથી સંબંધ તોડી નાંખીએ છીએ. આજે દીકરીને મૃત માની તેનું શ્રાદ્ધ પણ કરી નાખ્યું.’ યુવક શામલી જનપદનો રહેવાસી છે.

 

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page