Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalયુવકને લવ મેરેજ કરવા પડ્યા મોંઘા, રૂમની દિવાલ પર એવો મેસેજ લખ્યો...

યુવકને લવ મેરેજ કરવા પડ્યા મોંઘા, રૂમની દિવાલ પર એવો મેસેજ લખ્યો કે બધા હચમચી ગયા

એક ચકચારી અને આઘાતજનક બનાવ બન્યો છે. પ્રેમ લગ્નના 15 દિવસ બાદ યુવકે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. યુવતીને તેના સાસરે મોકલવાને બદલે રિવાજના નામે સાસરીવાળા 50 હજાર રૂપિયાની માંગણી કરી રહ્યા હતા. ‘અમે પુત્રવધૂ ખરીદીશું નહીં’ તેમ કહી યુવકના પિતાએ પૈસા આપવાની ના પાડી હતી. આથી યુવક તણાવમાં આવી ગયો હતો. લગ્નના15 દિવસ બાદ યુવકે નાના ભાઈના મોબાઈલ પર ‘મિસ યુ પાપા’ લખીને એસએમએસ કર્યો હતો અને આત્મહત્યા કરી લીધી હતી.

મધ્યપ્રદેશના ઈન્દોરમાં રહેતા 23 વર્ષીય અંકિત ચૌહાણે 15 દિવસ પહેલાં 22 વર્ષીય શિવાની નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન બિજાસન માતાના મંદિરમાં થયા હતા. લગ્ન બાદ તે પત્ની અને પિતા સાથે ઓમકારેશ્વર ગયો હતો. અહીં પહોંચ્યા પછી બીજા દિવસે શિવાનીના પિતાએ દીકરીને ફોન કરીને ઈન્દોર બોલાવી. શિવાનીના પિતાએ કહ્યું કે તેઓ લગ્નથી નારાજ નથી. શિવાની ગંગાનગર પિયર પહોંચી કે તરત જ તેના પિતાએ તેને રૂમમાં બંધ કરી દીધી.

શિવાનીના પિતાએ દીકરીને બોલાવીને ઘરમાં કેદ કરી હતી. 8 મેથી તેને ઘરની બહાર નીકળવાની પરવાનગી આપવામાં આવી ન હતી. અંકિતે જ્યારે તેના સસરા અશોક સાહુ સાથે વાત કરી તો તેણે શિવાનીને મોકલવાના બદલે 50 હજાર રૂપિયાની માંગણી કરી. અંકિત કાપડ માર્કેટમાં કામ કરતો હતો તેથી તેની પાસે વધારે પૈસા નહોતા. તેણે તેના ડ્રાઈવર પિતા પપ્પુ ચૌહાણ પાસે પૈસાની માંગણી કરી હતી. પરંતુ અંકિતના પિતાએ ‘અમે પુત્રવધૂને ખરીદીશું નહીં’ તેમ કહી પૈસા આપવાની ના પાડી દીધી હતી.

અંકિત ઈન્દોરના દ્વારકાપુરીમાં રહેતો હતો. પિતરાઈ ભાઈ કમલેશે જણાવ્યું કે અંકિતનો નાનો ભાઈ પીયૂષ ઈન્દોરમાં અલગ ભાડાના મકાન સાથે રહે છે. તે કાપડ માર્કેટમાં પણ કામ કરે છે. પિયુષે જણાવ્યું કે અંકિતે મને ગુરુવારે સાંજે ‘મિસ યુ પાપા’નો SMS મોકલ્યો હતો. મેં તેને ગંભીરતાથી ન લીધો. વિચાર્યું કે પત્નીની ગેરહાજરીને કારણે તે તણાવમાં હશે. તેથી જ આવા સંદેશાઓ કરવામાં આવ્યા હશે.

અંકિતની આત્મહત્યા અંગે પાડોશીઓએ પિયુષને જાણ કરી હતી. અહીં પહોંચ્યા બાદ તેણે પોલીસની મદદથી દરવાજો તોડી નાખ્યો હતો. અહીં અંકિત ફાંસી પર લટકતો હતો. દિવાલ પર પત્ની શિવાનીનું નામ અને તેનો મોબાઈલ નંબર લખેલ હતો. આખા રૂમની સામગ્રી વેરવિખેર પડી હતી. પોલીસને શંકા છે કે અંકિતે બે દિવસમાં ઘણો દારૂ પીધો હશે. તે બુધવાર અને ગુરુવારે કાપડ બજારમાં કામ પર પણ ગયો ન હતો.

પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. અંકિતનો મોબાઈલ પોલીસે જપ્ત કરી લીધો છે. મોબાઈલમાં કેટલાક ઓડિયો-વિડિયો રેકોર્ડિંગ અને નંબરો મળી આવ્યા છે. જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. અંકિત અને શિવાનીની ઓળખ બે વર્ષ પહેલા ટેક્સટાઈલ માર્કેટમાં જ થઈ હતી. આ પછી તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને 5 મેના રોજ લગ્ન કરી લીધા.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page