Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalઆ છે દેશના 5 રાજકુમાર જેમની આગળ ભલભલા બિઝનેસમેન પણ ફિક્કા પડે

આ છે દેશના 5 રાજકુમાર જેમની આગળ ભલભલા બિઝનેસમેન પણ ફિક્કા પડે

તમે ઘણીવાર ફિલ્મ અને વાર્તામાં રાજાઓની જિંદગી વિશે સાંભળ્યું હશે. તેમના વૈભવ, રહેણીકરણી અને મોટા-મોટા આલિશાન મહેલો વિશે સાંભળી તે ભવ્ય નજારો અસલ જિંદગીમાં પણ જોવાનું મન થતું હશે. પણ રાજાઓની જેમ જિંદગી જીવવું દરેકના નસીબમાં હોતું નથી. આજે અમે તમને જણાવીએ આવા જ કેટલાક ભારતીય રાજાઓ વિશે જે નાની ઉંમરથી જ રાજપાઠ સંભાળવા લાગ્યા અને વૈભવી જિંદગી જીવી રહ્યા છે.

મહારાજા યુવરાજસિંહ
મહારાજા યુવરાજસિંહ જોધપુર પર શાસન કરનારા રાઠોડ વંશના વંશજ છે. યુવરાજ સિંહ ઉમ્મેદ ભવન પેલેસના માલિક પણ છે. ઉમ્મેદ ભવન દુનિયાનો સૌથી ફેમસ પેલેસ છે જેમાં જવાનું દરેકનું સપનું હોય છે. ઉલ્લેખનીય છે કે, ઉમ્મેદ ભવન પેલેસમાં ફેમસ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ લગ્ન કર્યા હતાં. યુવરાજસિંહ જયપુર સિટી પેલેસમાં રજવાડી ઠાઠવાળી જિંદગી જીવે છે.

યદુવીર કૃષ્ણદત્તા ચામરાજા વાડિયાર
મૈસૂર રાજ્યના શાસક અને વાડિયાર વંશના રાજા યદુવીર કૃષ્ણદત્તા ચામરાજા વાડિયાર છે. તે મૈસૂરના ભવ્ય મહેલમાં રહે છે જે લગભગ 72 એકરની જમીન પર બનેલો છે. યદુવીર કૃષ્ણદત્તાનો માત્ર 23 વર્ષની ઉંમરમાં જ રાજા તરીકે રાજ્યાભિષેક થયો હતો. ઉલ્લેખનીય છે કે, યદુવીર અત્યારે આલિશાન અને રજવાડી લાઇફસ્ટાઇલથી જીવે છે.

મહાઆર્યમન સિંધિયા
મહાઆર્યમન સિંધિયા જ્યોતિરાદિત્ય માધવરાવ સિંધિયાના દીકરા છે. મહાઆર્યમન ગ્વાલિયર રાજઘરાણાની ચોથી પેઢીથી છે જે રાજનીતિ શીખી રહ્યા છે. તેમની ઉંમર 24 વર્ષ છે પણ તે અહીં રાજાની જેવી રીતે રહે છે. ઉલ્લેખનીય છે કે, તેમનો પેલેસ પણ ખૂબ જ ભવ્ય અને આલિશાન છે. આ પેલેસના ફોટો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાઇરલ થાય છે.

યુવરાજ લક્ષ્યરાદસિંહ
યુવરાજ લક્ષ્યરાજસિંહ ભારતીય રાજાઓના લિસ્ટમાં પહેલાં ક્રમે આવે છે. મહારાણા પ્રતાપના વંશજ યુવરાજ લક્ષ્યરાજસિંહ એક વૈભવી જીવન જીવે છે અને ઉદયપુર સિટી પેલેસમાં તેમનું નિવાસ સ્થાન છે અને RH ગ્રુપની અંદર આવતી દરેક હોટેલની દેખરેખ પણ કરે છે.

મહારાજા પદ્મનાભસિંહ
ભારતીય રાજકુમારોમાં મહારાજા પદ્મનાભસિંહનું નામ પણ પહેલાં લેવામાં આવે છે. પદ્મનાભસિંહ એક આધુનિક રિયાસતવાળી જિંદગી જીવે છે. વર્ષ 2011માં તેમણે રાજાનો તાજ પહેરાવ્યો હતો. ખાસ વાત છે કે, પદ્મનાભસિંહ માત્ર 13 વર્ષની ઉંમરમાં ચર્ચામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મહારાજા પદ્મનાભસિંહ આજે પણ બિલકુલ રજવાડી જિંદગી જીવે છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of endless possibilities! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exciting insights! ? ? into this thrilling experience of discovery and let your thoughts roam! ? Don’t just enjoy, experience the thrill! #FuelForThought Your mind will thank you for this exciting journey through the realms of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page