અમદાવાદઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકને ભાગ્યે જ કોઈ વ્યક્તિ નહીં ઓળખતી હોય. નટુકાકા પોતાના જીવનમાં ઘણો જ સંઘર્ષ કરીને આગળ આવ્યા છે. તેમના સંઘર્ષમાંથી પ્રેરણા લેવાની જરૂરી છે.
નાનપણથી કામ કર્યું છેઃ નટુકાકાના પિતા પ્રભાશંકર (રંગલાલ) નાયકને આજે પણ તેમની કળા તથા સંગીતને કારણે યાદ કરવામાં આવે છે. તેમના વડદાદા પંડિત શિવરામ લોકપ્રિય સંગીતકાર જય-કિશનના ગુરુ હતા. જ્યાં કલા હોય ત્યાં જલ્દીથી લક્ષ્મી આવતી નથી. નટુકાકાએ 8 વર્ષની ઉંમરમાં કામ કરવાની શરૂઆત કરી હતી. તે ભણવામાં ખાસ કંઈ કરી શકે તેમ નહોતા. આથી જ તેમણે માત્રને માત્ર એક્ટિંગ પર ધ્યાન આપ્યું હતું. તેમણે અનેક ફિલ્મ, નાટકમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે.
400થી વધુ ફિલ્મ ડબિંગ કર્યું: નટુકાકાએ દૂરદર્શન પર 11 વર્ષ સુધઈ ભવાઈના કાર્યક્રમો આપ્યા હતા. આજે પણ તે ભવાઈની કળા જીવંત રહે તે માટે સઘન પ્રયાસ કરે છે. તેમણે 400થી વધુ ફિલ્મમાં ડબિંગ કર્યું છે. એક ફિલ્મમાં ચાર પાત્ર હોય તો નટુકાકા ચારેયના અવાજ અલગ અલગ કાઢીને ડબિંગ કરતા. તેમણે અશોક કુમારથી લઈ અમિતાભ બચ્ચન સુધીના કલાકારો સાથે કામ કર્યું છે.
વટની સાથે ફિલ્મ છોડીઃ નટુકાકા રંગમંચ પર રંગલા તરીકે લોકપ્રિય હતા. જોકે, આર્થિક સંઘર્ષ દૂર થયો નહોતો. તે સમયે ‘ખિલૌના’ ફિલ્મમાં કામ કરતા હતા. આ ફિલ્મ માટે તેમણે મલાડથઈ ચેમ્બુર જવાનું હતું. અહીંયા આરકે સ્ટૂડિયોમાં શૂટિંગ હતું. શૂટિંગમાં માત્ર બે કોમેડી સીન હતા. તેના માટે દિવસના માત્ર 30 રૂપિયા. જે પૈસા મળ્યા એના કરતાં બસ ભાડું વધું થઈ ગયું હતું. જોકે, નટુકાકા માને છે કે જે કામ કરો તે દિલથી કરો. ધર્મેન્દ્ર-હેમામાલિનીની ફિલ્મ ‘શરાફત’માં ત્રણ દિવસ કામ કરવાના 70 રૂપિયા મળ્યા, પરંતુ શૂટિંગ પર પહોંચવાનો ખર્ચ 100 રૂપિયા થયો હતો. દેવાનંદની ‘ચાર્જશીટ’માં નટુકાકાને વકીલનો રોલ ઓફર થયો હતો અને પૈસા પણ સારા એવા હતા. જોકે, તેમાં તેમણે એક પણ ડાયલોગ બોલવાનો નહોતો. આથી જ તેમણે ડાયલોગ માટે મગજમારી કરી હતી, પરંતુ દેવાનંદ ના માન્યા તો નટુકાકાએ વટની સાથે ફિલ્મ છોડી દીધી હતી.
સંતાનોએ બીજાના ઊતરેલા કપડાં પહેરયાં છેઃ નટુકાકાની પત્નીનું નામ નિર્મળા દેવી છે. તેમને બે દીકરીઓ તથા એક દીકરો છે. નટુકાકાએ ટોચના કલાકારો સાથે કામ કર્યું છે, પરંતુ તેમને પૈસા ખાસ મળતા નહોતા. આથી સંતાનોની સ્કૂલ તથા કોલેજ ફી ઉધાર પૈસા લાવીને માંડ માંડ ભરતા હતા. સંતાનો પાસે નવા કપડાં પણ રહેતા નહીં. તેઓ બીજાના ઊતરેલાં કપડાં પહેરીને મોટા થયા છે. જોકે, આજે નટુકાકાનો દીકરો વિકાસ મોટી કંપનીમાં મેનેજર છે.
જ્યારે ઐશ્વર્યા લાગી હતી નટુકાકાને પગેઃ ‘હમ દિલ દે ચૂકે સનમ’ માટે સંજય લીલા ભણસાલીએ નટુકાકાને ફોન કરીને રંગલાનું પાત્ર ભજવવાનું કહ્યું હતું. આ ફિલ્મમાં નટુકાકાએ વિઠ્ઠલકાકાનું પાત્ર ભજવ્યું હતું. નટુકાકાએ ફિલ્મમાં ભવાઈનો સીન એડ કર્યો હતો. નટુકાકાએ જ્યારે ઐશ્વર્યા રાયને ભવાઈ શીખવી ત્યારે તે તેમને પગે લાગી હતી.
આજે પણ બે રૂપિયાની નોટ સચવાયેલી છેઃ નટુકાકાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘રાજ કપૂરના ગુરુ કેદાર શર્માની ફિલ્મ ‘સહેમે હુએ સિતારેમાં મેં કામ કર્યું છે. કેદાર શર્માનો એક નિયમ કે જે એક્ટર સારું કરે તેને ચાર આના આપે. રોલ પત્યા પછી તેમણે બધાને ચાર આના આપ્યા અને બધા ખુશ થઈ ગયા. મારો નંબર આવ્યો ત્યાં સુધીમાં તેમની પાસેના તમામ પૈસા પૂરા થઈ ગયા હતા. મને મનમાં એવો ડર લાગ્યો કે મેં સાચે જ સારું પર્ફોર્મ કર્યું નહોતું. જોકે, તેમણે મને ચાર આનાને બદલે 2 રૂપિયાની નોટ આપી હતી. મારી પાસે આજે પણ એ 2 રૂપિયાની નોટ છે. જે દિવસે મને 2 રૂપિયા મળ્યા ત્યારે મારા ખિસ્સામાં એક પૈસા નહોતો. હુ 14 કિમી ચાલીને ઘરે આવ્યો, પરંતુ મેં 2 રૂપિયા વાપર્યા નહીં. આ 2 રૂપિયાએ મારામાં હિંમત ભરી હતી અને એટલે જ હું હિંમત હાર્યો નથી.’
નટુકાકાએ આપ્યો આ સંદેશઃ કોરોનાના મુશ્કેલ સમયમાં નટુકાકાએ દેશના નાગરિકોને સંદેશ આપતાં કહ્યું હતું, ‘હિંમત હારતા નહીં. જંગ ભલે ગમે તેટલી મોટી હોય, એનું પરિણામ નક્કી છે. જંગ પૂરી થયા બાદ બધાના સુખના દિવસો આવશે.’
? Wow, this blog is like a rocket soaring into the universe of endless possibilities! ? The thrilling content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exhilarating insights! #AdventureAwaits Dive into this exciting adventure of discovery and let your thoughts roam! ? Don’t just explore, experience the thrill! #FuelForThought Your mind will be grateful for this exciting journey through the realms of endless wonder! ?
Your post is a ray of light in the darkness. Thank you for brightening my day in a unique way. Keep shining! ☀️
blibliblu