અમદાવાદઃ વિષ્ણુ પુરાણ મુજબ મનુષ્યના કલ્યાણ માટે કેટલાંક નિયમો બન્વાય છે જેમાં ખાવા-પીવાથી લઈને વસ્ત્ર પહેરવા સુધીના નિયમો સામેલ છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે વસ્ત્ર પહેર્યાં વગર કામ કરવામાં આવે તો તે કામનું અપમાન કરવા જેવું છે અને મનુષ્ય તેમાં પાપનો ભાગીદાર બને છે.
કપડાં પહેર્યા વગર સ્નાન કરવું જોઈએઃ
વિષ્ણુ પુરાણના 12માં અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યે ક્યારેય સંપૂર્ણ નગ્ન થઈને સ્નાન કરવું જોઈએ નહીં. સ્નાન કરતાં સમયે એક કપડું શરીર પર અવશ્ય રાખવું જોઈએ.
નિર્વસ્ત્ર ક્યારેય ના સૂવું
પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે નગ્ન થઈને સૂવું જોઈએ નહીં. આમ કરવાથી ચંદ્ર દેવતાનું અપમાન થાય છે. આ સાથે જ રાતના સમયે પિતૃગણ પોતાના પરિવારને જોવા આવે છે અને તેઓ નગ્નઅવસ્થામાં જોઈને ઘણાં જ દુઃખી થાય છે. આટલું જ નહીં આશીર્વાદ આપ્યા વગર જતા રહે છે. નગ્ન સૂવાથી નકારાત્મક શક્તિઓ હાવી થાય છે.
આચમન સમયે નિર્વસ્ત્ર રહેવું જોઈએ નહીં
મનુષ્યે આચમન દરમિયાન નગ્ન અવસ્થામાં રહેવું જોઈએ નહીં. આમ કરવું વિધિની વિરૂદ્ધ છે. આચમન સમયે આંતરિક શુદ્ધિ થાય છે.
કપડાં પહેર્યાં વગર પૂજા કરવી નહીં:
કેટલાંક લોકો નગ્નવસ્થામાં પૂજા કરતા હોય છે. જોકે, વિષ્ણુ પુરાણમાં આ વાતને ખોટી ગણાવવામાં આવી છે. પૂજા કે યજ્ઞ સમયે માણસે બે સિવ્યાં વગરના કપડાં પહેરવા જોઈએ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સિલાઈ સાંસારિક મોહ-માયાનું પ્રતિક છે. ભગવાનની પૂજા દરેક બંધનમાંથી મુક્ત થઈને કરવી જોઈએ.