Monday, April 15, 2024
Google search engine
HomeNationalકિન્નર મર્ડર કેસમાં થયો મોટો ધડાકો, મોતનું કારણ સાંભળીને તમે ચોંકી જશો

કિન્નર મર્ડર કેસમાં થયો મોટો ધડાકો, મોતનું કારણ સાંભળીને તમે ચોંકી જશો

બિહારના પટનામાં એક કિન્નરના શંકાસ્પદ મોત અંગે ખુલાસો થયો છે. આ મોતનું કારણ સાંભળીને તમે ચોંકી જશો. આ મોતનું કારણ બીજુ કંઈ નહીં પણ કિન્નર ઉષા રાણીનો પ્રેમી જ નીકળ્યો છે. આ સાથે જ તેની સાથે ગેરસંબંધની પણ એક એવી કહાની સામે આવી છે જેને જાણીને પોલીસ પણ ચોંકી ગઈ છે.

ગત વર્ષે 20 ડિસેમ્બરે પટના સિટીના આલમગંજ વિસ્તારમાં આવેલાં સાદિકપુર મછુઆ ટોળી વિસ્તારમાં કિન્નર ઉષા રાણીનું શંકાસ્પદ મોત થઈ ગયું હતું. આ પછી પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે સોમવારે આ હત્યાકાંડ અંગે ખુલાસો કર્યો છે. પોલીસે આરોપીની પણ ધરપકડ કરી લીધી છે.

કિન્નર ઉષા રાણી સાથે સુપૌલના રહેવાસી નવીન કુમાર ઉર્ફે આશુતોષના ગેરસંબંધ હતાં. બંને સાથે રહેતાં હતાં. કિન્નર ઉષા પાણી નવીન કુમારના પ્રેમમાં ગાંડી હતી. બંને આખો દિવસ અને રાત સાથે ગુજારતા હતા. નવીન કુમારે ગત 20 ડિસેમ્બરે પણ ઉષા રાણી સાથે ગેરસંબંધ બાંધ્યા અને તે પછી ઉષાને ડ્રગ્સનો ઓવરડોઝ આપ્યો હતો. જેને લીધે ઉષા રાણીનું મોત થઈ ગયું હતું. જોકે, નવીન કમારને ઉષા રાણીના મોતનો જરા પણ અફસોસ થયો નહીં. નવીને ઉષાના ઘરેણા અને રૂપિયા ચોરી લીધા અને ત્યાંથી ભાગી ગયો હતો.

નવીન પાસેથી પિસ્તોલ અને ડ્ર્ગ્સ મળ્યા
પોલીસે લાંબી તપાસ કર્યા પછી નવીન કુમારની વિસ્કોમાન કોલોની વિસ્તારથી ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યા મુજબ, નવીન પહેલાંથી અપરાધી હતો. તેની પાસે પોલીસે એક પિસ્તોલ, બે કારતૂસ અન બે મેગજીન કબજે કરી છે. આ સાથે જ તેની પાસેથી 82 ગ્રામ સ્મેક પણ મળ્યું છે.

આરોપીએ કબૂલ્યો પોતાનો ગુનો
આરોપી નવીને પોલીસ સામે પોતાનો ગુનો કબૂલ્યો છે. નવીને જણાવ્યું કે, ઉષા રાણી સાથે તેના ગેરસંબંધ હતાં. તે ઉષા રાણી સાથે લિવઇનમાં રહેતો હતો. નવીને જણાવ્યું કે, તેના ઘણાં કિન્નરો સાથે સંબંધ હતાં. તેમની સાથે તે ડ્રગ્સ લેતો હતો. નવીન મુજબ, પહેલાં રિંકી કિન્નર સાથે તેના ગેરસંબંધ હતાં. આ પછી ઉષા રાણી સાથે તેણે સંબંધ બાંધ્યા હતાં.

ષડયંત્રને લીધે હત્યા કરી
નવીને સ્વીકાર કર્યો કે, કિન્નર ઉષા રાણી ખૂબ જ સુખી હતી. તેની પાસે વધુ રૂપિયા હતાં. જેને લીધે તેણે ઉષા રાણીને પોતાની જાળમાં ફસાવી હતી. આ પછઈ ઉષા રાણીની નજીક આવ્યો અને તેના ઘરેણાં લૂંટવા ધીમે-ધીમે તેનો વિશ્વાસ જીત્યો અને તક જોઈને તેની હત્યા કરી નાંખી હતી. આ હત્યાકાંડનો ખુલાસા અને આરોપીની ધરપકડ અંગે કિન્નર સમાજે પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત પોલીસ ઇન્સ્પેક્ટર કૃષ્ણા કુમારે કહ્યું કે, આ અંગે તપાસ ચાલી રહી છે. ખાસ તો ડ્રગ્સ રેકેટ માફિયાની શોધ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page