Sunday, April 14, 2024
Google search engine
HomeBollywoodટપુએ સિરિયલ કેમ છોડી? પ્રોડ્યૂસર અસિત મોદીએ આપ્યો આ જવાબ

ટપુએ સિરિયલ કેમ છોડી? પ્રોડ્યૂસર અસિત મોદીએ આપ્યો આ જવાબ

લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં 2017થી રાજ અનડકટ ‘ટપુ’નો રોલ પ્લે કર્યો છે. રાજ પહેલાં ભવ્ય ગાંધી આ પાત્ર ભજવતો હતો. હવે ચર્ચા છે કે રાજ આ શો છોડી રહ્યો છે. રાજે આ અંગે કંઈ જ વાત કરી નથી. સિરિયલના પ્રોડ્યૂસર અસિત મોદીએ આ અંગે વાત કરી હતી.

મુનમુન દત્તાને કારણે શો છોડ્યો?
મીડિયા રિપોર્ટ પ્રમાણે, મુનમુન દત્તા તથા રાજ વચ્ચે અફેર હોવાની ચર્ચા છે. રાજે મુનમુન દત્તા સાથેના રિલેશનશિપને કારણે આ શો છોડ્યો હોવાનું માનવામાં આવે છે. જોકે, આ અંગે હજી સુધી કોઈએ કંઈ જ કહ્યું નથી.

અસિત મોદીએ શું કહ્યું?
અસિત મોદીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘મને કંઈ જ ખબર નથી. ના મને તો ખ્યાલ જ નથી.’

રાજ માટે આ સફર કડવી-મીઠી રહી
સૂત્રના મતે, રાજ માટે આ સિરિયલમાં કામ કરવાની સફર ઘણી જ ખટ્ટ-મીઠ્ઠી રહી. અનેકવાર ટીમે તેને સુધારવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આમ થઈ શક્યું નહીં. હવે રાજ લાંબા સમય સુધી આ સિરિયલ સાથે જોડાયેલો રહેવા માગતો નથી અને કાસ્ટ-ક્રૂ પણ રાજને રોકવા માટે તૈયાર નથી.

મુનમુન દત્તા સાથેના અફેર પર રાજે શું કહ્યું હતું?
રાજ અનડકટે પણ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી, તેણે કહ્યું હતું, ‘જે લોકો સો.મીડિયામાં મારા વિશે ગમે તેમ લખે છે, મહેરબાની કરીને એકવાર વિચારો કે મારા જીવનમાં આ કારણે કેટલી સમસ્યા આવશે. મારા વિશે ચાલતા આ ખોટા ન્યૂઝ મારી સંમતિ વગર છાપવામાં આવે છે. જે પણ ક્રિએટિવ લોકો આ બધું કરી રહ્યા છે, મહેરબાની કરીને તમારી રચનાત્મકતા અન્ય કોઈ બાબતમાં લગાવો. ભગવાન તમને સારા વિચારો આપે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page