Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalભક્તે ચાંદીના એક્કા ભગવાનને ભેટ ધર્યા, દાનની ગણતરીમાં પહેલાં જ દિવસે...

ભક્તે ચાંદીના એક્કા ભગવાનને ભેટ ધર્યા, દાનની ગણતરીમાં પહેલાં જ દિવસે 4 કરોડ રોકડા નીકળ્યા

ચિત્તોરગઢઃ રાજસ્થાનના સાંવલિયાજીમાં સાંવરા સેઠના અનોખા ભક્ત જોવા મળે છે. તેઓ ભગવાનને અલગ અલગ પ્રકારની વસ્તુઓ ચઢાવે છે. હાલમાં જ સાંવલિયાજીને દાનમાં આવેલી વસ્તુઓની ગણતરી થઈ હતી. ગણતરી હજી સુધી પૂરી થઈ નથી.

વહેલી સવારથી મોડી રાત સુધી ગણતરી ચાલુ હોય છે. ભક્તો અનોખી વસ્તુઓ ચઢાવે છે. એક ભક્તે ચાર ચાંદીના પત્તા ભેટમાં ચઢાવ્યા હતા. જ્યારે ભક્તને પૂછવામાં આવ્યું કે તેણે કેમ પત્તાના ચાર એક્કા ચાંદીના ચઢાવ્યા, તેને બદલે ચાંદીની અન્ય વસ્તુઓ પણ ચઢાવી શકાઈ હોત. તો ભક્તે જવાબ આપ્યો હતો કે તે ભગવાનને કંઈક અલગ ચઢાવવા માગતો હતો. આ ચાર એક્કાનું વજન 112 ગ્રામ હતું. આ ભક્ત ઉદેપુરમાં રહે છે.

કંઈ નહીં તો લસણ જઃ ભક્તોની પોત-પોતાની માન્યતા છે. જોકે, આ માન્યતાની સાથે કેટલાંક અલગ જ ચઢાવો ચઢાવે છે. ભક્ત પોતાની રીતે હિસાબ કરે છે. એક ભક્તે ભગવાનને ચાંદીનું લસણ ચઢાવી દીધું હતું.

ચતુર્દશીના દિવસે ખોલવામાં આવેલા દાનપાત્રની નોટોની ગણતરી હજી પૂરી થઈ નથી. ગુરુવાર, 9 સપ્ટેમ્બરના રોજ 86 લાખ 74 હજાર 500 રૂપિયાની ગણતરી થઈ હતી. 10 સપ્ટેમ્બરે પણ ગણતરી ચાલુ છે.

ચતુર્દશીના દિવસે સાંવરા સેઠનો ભંડારો ખોલવામાં આવ્યો હતો. પહેલાં દિવસે 4 કરોડ 53 લાખ 48 હજાર રૂપિયાની ગણતરી થઈ હતી. બીજા દિવસે 95 લાખ 9 હજાર 500 રૂપિયા, ત્રીજી દિવસે 61 લાખ 42 હજાર 100 રૂપિયાની ગણતરી થઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page