Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratસુનિલ રોજ મારી દીકરીને હેરાન કરતો, પણ મારી દીકરી... પિતાના વાત સાંભળીને...

સુનિલ રોજ મારી દીકરીને હેરાન કરતો, પણ મારી દીકરી… પિતાના વાત સાંભળીને ભાવુક થઈ જશો

રાજકોટમાં એક આઘાતજનક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં યુવતીએ સુનીલ નામના યુવાનના કારણે આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યો હતો.

આ અંગે યુવતીના પિતાએ પોતાની વેદના ઠાલવતા મીડિયાને જણાવ્યું હતું કે સુનિલ રોજ મારી દીકરીને હેરાન કરતો હતો. ફોન કરીને ધમકાવતો હતી પણ મારી દીકરી મને કહી ન શકી. સુનિલથી કંટાળી અગાઉ પણ એક પરિવારેઘર છોડ્યું હતું. એ સમયે સુનિલ અને તેના મિત્રો પરિવારને મારવા આવ્યાં હતાં. દીકરી જો તકલીફમાં હોય તો પિતાને જાણ કરે અને સમયે પિતાએ પણ દીકરીની કાળજી લેવી જોઈએ. માતા-પિતાએ દીકરીનું ધ્યાન રાખવું જરૂરી છે.મેં ધ્યાન ન રાખ્યું’ને મારી વ્હાલસોયીએ જીવ ગુમાવ્યો છે. હવે મને ન્યાય આપો’. આ ઘટનાને પગલે પરિવારનો પણ શોકમાં ગરકાવ થયો હતો.

રૂમમાં જ યુવતીનો આપઘાત
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, હરસિદ્ધિ સોસાયટીમાં રહેતી દિપાલી નામની યુવતીએ ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગેની જાણ થતાં યુનિવર્સિટી પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તપાસ કરતા દિપાલીના માતા-પિતા પ્રસંગમાં ગયા હતા જેથી પરિણીત બહેન અને તેનો ભાઈ ઘરે હતા. ત્યારે દિપાલીએ રૂમમાં જઇ આપઘાત કરી લીધો હતો. દિપાલી બે ભાઈ બે બહેનમાં બીજા નંબરની બહેન હતી. તેણે કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે તપાસ કરતા યુવતીએ તેના જ વિસ્તારમાં રહેતા પૂર્વ પ્રેમીએ ત્રાસ આપી માર માર્યો હતો અને માતા પિતાને પણ ગાળો આપતા આપઘાત કરી લીધાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં યુવતીએ લખ્યું હતું કે, ‘મને આપઘાત માટે મજબૂર કરનાર સુનિલ કુકડીયા છે. તેણે મારા માતા-પિતાને ગાળો આપી હતી અને મારી સાથે મારપીટ પણ કરી છે. સોરી પપ્પા’. આરોપી યુવકના એક દિવસ પહેલા જ લગ્ન થયા હતા. મૃતકનો મોબાઈલ કબજે લઈ મૃતકના પિતાની ફરિયાદ પરથી યુવક સામે આપઘાતની ફરજ હેઠળ ગુન્હો નોંધાયો હતો.

પૂર્વ પ્રેમી સામે પોલીસે નોંધી ફરિયાદ
બનાવ મામલે પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું કે, દિપાલી અને સુનિલને પ્રેમસબંધ હતો ત્યારબાદ સુનિલનું સગપણ પાટણવાવ સ્થિત રહેતી યુવતી સાથે નક્કી થઈ જતા આ સંબંધનો અંત આવ્યો હતો. આમ છતાં સુનિલ અવારનવાર દિપાલીને ફોન કરતો હતો અને સબંધ રાખવા દબાણ કરતો હતો. આ બનાવમાં દીપાલીના પિતાની ફરિયાદ પરથી તેના જ વિસ્તારમાં રહેતા સુનિલ કુકડીયા(પ્રજાપતિ)સામે ફરિયાદ નોંધાવતા કલમ 306 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page