બિહાર: લોકસભા ચૂંટણીમાં RJDની કરારી હાર બાદ પાર્ટી પ્રમુખ લાલુ યાદવ આઘાતમાં સરી ગયા છે. રાંચીની જેલમાં બંધ લાલુ પ્રસાદે યાદવે બપોરનું જમવાનું બંધ કરી દીધું છે અને તે ચૂપચાપ રહેવા લાગ્યા છે. લાલુ યાદવ પહેલાં પણ ઓછી વાત કરતાં હતા. રાષ્ટ્રીય જનતા દળ બિહારમાં અને ઝારખંડમાં એક પણ સીટ જીતી શક્યું નથી.
2014ની લોકસભામાં મોદી લહેરમાં પાર્ટીએ બિહારમાં ચાર બેઠકો જ જીતી હતી. લાલુ યાદવની હાલ રાજેન્દ્ર ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં સારવાર ચાલી રહી છે. તેમની સારવાર કરી રહેલા ડોક્ટર ઉમેશ પ્રસાદે કહ્યું હતું કે, છેલ્લા બે-ત્રણ દિવસથી લાલુ પ્રસાદની દિનચર્યા બદલાઈ ગઈ છે. તેઓ નાસ્તો કરે છે અને રાત્રે જમે છે પણ બપોરનું જમવાનું બંધ કરી દીધું છે.
ડોક્ટરો અનુસાર લાલુ યાદવને દરરોજ ત્રણ વખત ઈન્સ્યુલિન આપવામાં આવે છે પરંતુ તે સમયસર જમતા નથી. જોકે તેઓને પહેલાની જેમ દવાનો ડોઝ નથી આપી શકાતો. આવું પ્રથમ વાર થયું છે કે, રાજદમાંથી લોકસભા ચૂંટણીમાં કોઈ જીતી શક્યું નથી.