ભિલાઈઃ સરોજિની પાણિગ્રહીના પતિનું 2007માં જગન્નાથ પુરીમાં એક માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. પતિની મોતના આઘાત વચ્ચે સરોજિનીએ બાળકોની જવાબદારી એકલા જ ઉઠાવવી પડી હતી. અચાનક આવેલી મુશ્કેલીઓ વચ્ચે પણ સરોજિનીએ પોતાની જવાબદારી સંભાળી અને પડકારોનો સામનો કર્યો. તેણે આકરી મહેનતને કારણે માત્ર 4 વર્ષમાં કંપનીની બીજી બ્રાન્ચ શરૂ કરી હતી. હાલ તેની બંને કંપનીમાં 45 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યાં છે.
સરોજિનીએ જણાવ્યું કે, 5 ડિસેમ્બર 2007 ના રોજ તે પરિવાર સાથે જગન્નાથપુરીથી દર્શન કરી પરત ફરી રહી હતી. આ દરમિયાન એક માર્ગ અકસ્માત થયો હતો. દુર્ઘટનામાં સરોજિનીના પતિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. સરોજિની અને તેમના બાળકો પણ આ સમયે કારમાં હતા પરંતુ તેઓ બચી ગયા હતા. જે પછી બાળકો અને પતિ દ્વારા ચલાવવામાં આવતી કંપનીની કમાન સરોજિનીના હાથમાં આવી ગઈ.
પ્રારંભમાં સરોજિની જેમ-તેમ કામ સંભાળી રહી હતી પરંતુ ધીમે-ધીમે તે આજની મહિલાઓ માટે પ્રેરણા બની. સરોજિની પાસે બાળકોની સાથે કંપનીની જવાબદારી આવી ત્યારે તેને કંઈજ સમજમાં નહોતું આવતું. તેની માટે વેપાર સાવ નવી વાત હતી. જોકે તેણે હાર ના માની અને પોતાને મજબૂત બનાવી પતિના સ્વપ્નને પૂર્ણ કર્યું. બાળકોથી સરોજિનીને હિંમત મળી હતી.
સરોજિનીએ જણાવ્યું કે, તેના પતિ નારાયણ પણ કંપનીમાં દિવસ-રાત મહેનત કરતા હતા. તેમની મહેનતથી જ તેને પ્રેરણા મળી હતી. તેમનું સપનું પોતાની ફેક્ટ્રીને આગળ લઈ જવાનો હતો.
સરોજિનીએ કહ્યું કે, પતિના મોત બાદ જો તે ભાંગી પડી હોત તો આજે આ મુકામે ના પહોંચી શકી હોત. દરેક વ્યક્તિએ જીવનમાં સંકટ માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. જો ભૂલથી પણ હિંમત હારી જશો તો તણાવમાં આવી જશો અને ત્યારે જીવન મુશ્કેલ બની જશે. સરોજિની રોજ 8-10 કલાક ફેક્ટ્રીમાં કામ કરે છે. અમુક કલાક તે પોતાની બીજી ફેક્ટ્રીમાં પણ પસાર કરે છે.
? Wow, this blog is like a fantastic adventure launching into the universe of wonder! ? The captivating content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exciting insights! #InfinitePossibilities Embark into this cosmic journey of discovery and let your imagination roam! ? Don’t just explore, immerse yourself in the thrill! ? ? will be grateful for this thrilling joyride through the dimensions of discovery! ✨