Thursday, April 11, 2024
Google search engine
HomeNationalઆજે બપોરે 12:07 મીનિટે પૂર્વ નાણાં મંત્રી અરૂણ જેટલીનું નિધન

આજે બપોરે 12:07 મીનિટે પૂર્વ નાણાં મંત્રી અરૂણ જેટલીનું નિધન

નવી દિલ્હી: ભૂતપૂર્વ નાણાં મંત્રી અરૂણ જેટલીએ આજે 12:07 મીનિટે અંતિમ શ્વાસ લીધા હતાં. છેલ્લા ઘણાં સમયથી અરૂણ જેટલી એઈમ્સમાં દાખલ હતાં જોકે આજે બપોરે તેમણે 67 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતાં. આ સમાચાર મળતાં જ ભાજપના નેતાઓ એઈમ્સ પહોંચ્યા છે.


નોંધનીય છે કે, પૂર્વ નાણાં મંત્રી અરૂણ જેટલીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ડોક્ટોરના જણાવ્યા પ્રમાણે, અરૂણ જેટલીની કાર્ડિક ન્યૂરો સેન્ટરના વોર્ડમાં ભર્તી કરવામાં આવ્યા હતાં.

નોંધનીય છે કે, અરૂણ જેટલી છેલ્લા બે વર્ષની બિમાર હતાં. ગત વર્ષે જેટલીએ એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. ત્યાબાદ જેટલીના ડાબા પગમાં સોફ્ટ ટિશૂ કેન્સર થયું હતું. જેની સર્જરી માટે તેઓ આ વર્ષેજ જાન્યુઆરીમાં અમેરિકા પણ ગયા હતા.


અરૂણ જેટલી નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં નાણામંત્રી રહી ચુક્યા છે. જોકે, નાદુરસ્ત હોવાના કારણે તેઓ લોકસભા ચૂંટણી પહેલા ફેબ્રુઆરીમાં અંતરિમ બજેટ રજુ કરી શક્યા નહતા. નાદુરસ્ત તબિયતના કારણ તેમણે મોદી સરકારના બીજા કાર્યકાળમાં કેબિનેટમાં સામેલ થવાનો ઇન્કાર કરી દીધો હતો.

અરૂણ જેટલી વ્યવસાયે વકીલ હતા અને તેઓ ભાજપ સરકારના પ્રથમ કાર્યકાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળનો મહત્વનો હિસ્સો રહ્યાં હતા. તેમણે નાણાં મંત્રાલય અને રક્ષા બંને મંત્રાલયનો કાર્યભાળ સંભાળ્યો હતો અને તે સરકારના પ્રમુખ સંકટમોચન સાબિત થતાં રહ્યા હતાં. જીએસટી અને નોટબંધી લાગુ કરવામાં આવી ત્યારે તેઓ નાણાં મંત્રાલયનો હવાલો સંભાળતા હતા.

નોંધનીય છે કે, નાદુરસ્ત તબિયતના કારણે જેટલીએ 2019માં લોકસભા ચૂંટણી લડી ન હતી. લાંબા સમયથી તેઓ ડાયાબિટિસની પીડિત હતા. વધતાં વજનને ઠીક કરવા સપ્ટેમ્બર 2014માં તેમણે બેરિયાટ્રિક સર્જરી પણ કરાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page