અમદાવાદ: વર્ષ 2020નું આગમન થઈ રહ્યું છે. તમારા મનમાં ચોક્કસ એવી કામના હશે કે નવું વર્ષ તમારા માટે સારું રહે. પણ જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો આ વર્ષ શનિની સાડા સાતી રાશિયો પર પ્રભાવી રહેશે. આજે અમે તમને જણાવીશું કે વર્ષ 2020માં શનિ કઈ રાશિઓ પર ભારે રહેશે અને કઈ રાશિઓના જાતકો માટે શુભ ફળ આપશે.
વર્ષ 2020માં શનિ ગ્રહની ચાલ: આ વર્ષે શનિ ગ્રહ 24 જાન્યુઆરીએ ધન રાશિથી પોતાના સ્વરાશિ મકરમાં ગોચર કરશે. આ સાથે જ આ વર્ષ 11 મેથી 29 સપ્ટેમ્બર સુધી આ મકર રાશિમાં જ વક્રી થશે અને 27 ડિસેમ્બરે અસ્ત થશે. ધન અને મકર રાશિમાં પહેલા જ શનિ સાડાસાતીનો પ્રભાવ ચાલી રહ્યો હતો. હવે કુંભ રાશિ માટે સાડાસાતીનું પહેલું ચરણ પણ શરૂ થઈ જશે. આવો જાણીએ કે વર્ષ 2020માં કઈ રાશિ શનિના ઘેરામાં આવશે.
- મેષ: વર્ષ 2020માં મેષ રાશિના જાતકોએ શનિથી ડરવાની જરૂર નથી. તમારી ઉપર શનિની સાડા સાતીનો પ્રભાવ નહીં રહે
- વૃષભ: વૃષભ રાશિના જાતકોને વર્ષ 2020માં શનિની સાડા સાતી સાથે દૂર-દૂરનો કોઈ સંબંધ નથી.
- મિથુન: મિથુન રાશિ માટે આ વર્ષે કુંડળીમાં શનિની સાડા સાતી નથી
- કર્ક: વર્ષ 2020માં કર્ક રાશિના જાતકો ઉપર પણ શનિના સાડા સાતીનો પ્રભાવ નહીં રહે.
- સિંહ: વર્ષ 2020માં સિંહ રાશિના જાતક શનિની સાડા સાતીના પ્રભાવમાં નહીં આવે, એટલા માટે ડરો નહીં
- કન્યા: વર્ષ 2020માં કન્યા રાશિના લોકો પર શનિની સાડાસાતીની કોઈ અસર નહીં રહે.
- તુલા: આ વર્ષે શનિની સાડા સાતીની અસર તુલા રાશિના જાતકો પર પણ નહીં પડે
- વૃશ્ચિક: વર્ષ 2020માં વૃશ્ચિક રાશિના જાતકોની કુંડળીમાં શનિની સાડા સાતી નથી.
- ધન: આ વર્ષે ધન રાશિના જાતકો પર શનિની સાડા સાતીનો પ્રભાવ રહેશે. શનિની સાડા સાતી તમારા અંતિમ ચરણમાં છે
- મકર: શનિનું ગોચર તમારી જાતિમાં જ થઈ રહ્યું છે, એટલા માટે આ વર્ષે તમે શનિની સાડા સાતીના બીજા ચરણમાં રહેશો
- કુંભ: આ વર્ષે તમારી સાડા સાતીનું પ્રથમ ચરણ શરૂ થઈ રહ્યું છે, જે આગામી પાંચ વર્ષો સુધી તમારી કુંડળીમાં રહેનાર છે.
- મીન: આ વર્ષે મીન રાશિના જાતકોની કુંડળીમાં શનિની સાડા સાતી નથી.