લગ્ન બાદ બીજી વાર પણ દીકરાનો જન્મ ન થતાં પતિ અને પરિવારના સભ્યો રાક્ષસ બની ગયા. પતિએ પત્નીને એટલી બધી ટોર્ચર કરી કે, પત્નીનું મૃત્યુ થયું. બે દીકરીઓની એક દીકરીની ઉંમર ત્રણ વર્ષ છે, જ્યારે બીજી દીકરીની ઉંમર એક વર્ષ છે. જોધપુરમાં થયેલ આ મૃત્યુની ચારેયબાજુ ચર્ચા ચાલી રહી છે. પરિવારના લોકોએ પોતાની દીકરીનું શબ લેવાની ના પાડી દીધી છે. શબને અત્યારે શબઘરમાં જ રાખવામાં આવ્યું છે. પરિવારના લોકોએ માંગણી કરી છે કે, આરોપી પરિવારની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી શબ નહીં સ્વિકારે તેઓ.
મૃત્યુ પહેલાં ભાઈને કહ્યું હતું, મને બચાવી લો… આ લોકો મને મારી નાખશે
વાસ્તવમાં જોધપુરના પીપાડ વિસ્તારમાં રહેતી 25 વર્ષની કંચનનું 10 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું. કંચને તેના મૃત્યુના થોડા કલાક પહેલાં જ તેના ભાઈ માનારામ સાથે ફોન પર વાત કરી હતી અને કહ્યું હતું કે, આ લોકો મને મારી નાખશે. જેઠ મારવા ઈચ્છે છે, જીવ લેવા ઈચ્છે છે. થોડા સમય બાદ જ તેના મૃત્યુના સમાચાર મળ્યા. કંચનના પરિવારના લોકોએ 11 ફેબ્રુઆરીએ પીપાડ પોલીસ સ્ટેશનમાં પતિ મનોહર અને પરિવારના અન્ય લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો.
ઓરડામાં પૂરી દેતો હતો, ખાવાનું આપતો નહોંતો અને લોખંડના સળીયાથી પીટતો હતો
પિતાનું કહેવું છે કે, તેનાં લગ્ન 2018 માં થયાં હતાં. ત્યારબાદ બે દીકરીઓનાં લગ્ન થયાં, દીકરી બહુ ડરેલી હતી કે, આ વખતે દીકરાનો જન્મ નહીં થાય તો, પરિવારવાળાં તેને જીવતી રહેવા નહીં દે. થયું પણ એવું જ. તેની પાસે પાંચ લાખ રૂપિયા માંગવાનું શરૂ કરી દીધું હતું. વારંવાર તેની સાપે મારપીટ કરવામાં આવતી હતી, તેને ખાવાનું આપતા નહોંતા અને લોખંડના સળીયાથી પીટતા હતા. ગરમ સળીયાથી ડામ પણ દેતા હતા.
પરિવારનું કહેવું છે કે, જેઠે તેને ઝહેર આપી મારવાની ધમકી આપી હતી અને અંતે તેમણે એ કરી પણ બતાવ્યું, હવે પરિવારના લોકોએ જોધપુરમાં હોસ્પિટલમાં પડેલ દીકરીનું શબ સ્વીકારવાની ના પાડી દીધી છે. આજકામ જોધપુરમાં આ જ કિસ્સાની ચર્ચા છે ચારેય બાજુ.