Saturday, April 20, 2024
Google search engine
HomeNationalપિતાએ નાગને માર્યો, નાગણીએ તેના 12 વર્ષના દીકરાને માર્યો મોતનો ડંખ, લોકો...

પિતાએ નાગને માર્યો, નાગણીએ તેના 12 વર્ષના દીકરાને માર્યો મોતનો ડંખ, લોકો ફફડી ગયા

સામાન્ય રીતે તમે ફિલ્મ જોયું હશે અથવા ક્યાંક વાંચ્યું હશે કે નાગનો બદલો નાગીન લે છે. પણ રિયલમાં આવો બનાવ સામે આવ્યો છે. એક વ્યક્તિએ નાગને મારી નાખ્યો હતો. જેના ફક્ત 15 કલાકમાં નાગિને આ યુવકના 12 વર્ષના દીકરાને ડંખ માર્યો હતો. જેનાથી માસૂમ બાળકનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.

આ હચમચાવી દેતો બનાવ મધ્યપ્રદેશના સિહોરના જોશીપુર ગામમાં સામે આવ્યો છે. ગામમાં રહેતા કિશોરલાલના ઘરે ચૈત્રી નવરાત્રિના જવારા રાખ્યા હતા. દરમિયાન ગુરૂવાર સવારે 9 વાગ્યે ઘરની પાસે એક નાગ દેખાયો હતો, જેને કિશોરલાલે મારીને જંગલમાં ફેંકી દીધો હતો.

નાગિને ડંખ માર્યો: પિતા કિશોરલાલે નાગને માર્યાને હજી 15 કલાક પણ નહોતા વીત્યાને ભયંકર બનાવ બન્યો હતો. રાત્રે 2 વાગ્યે નાગીને ઘરમાં ઉંઘી રહેલા કિશોરલાલના દીકરા રોહિતને ડંખ માર્યો હતો. જેથી દર્દના માર્યા રોહિત ચોસો પાડવા લાગ્યો હતો.

પરિવાર જાદુ-ટોણા કરતું રહ્યો: દીકરા રોહિતની ચીસો સાંભળીને પરિવારજનો ઉઠીને દોડી આવ્યા હતા. પરિવારજનોએ પહેલા જાદુ-ટોણા કર્યા હતા. આમ છતાં દીકરાની તબીયત વધુ લથડતાં તેને તાત્કાલિક હોશંગાબાદની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહીં પ્રાથમિક સારવાર બાદ ડૉક્ટરોએ તેને ભોપાલ રેફર કર્યો હતો, પણ પરિવારના લોકો રોહિતને પાછા ગામમાં લઈ આવ્યા હતા. તેમણે ફરી ગામમાં જાદુ-ટોણાની વિધીઓ કરી હતી. બીજા દિવસે સવારે 5 વાગ્યે રોહિતે આંખો મીચી દીધી હતી.

ગામના લોકોએ નાગિનને મારી નાખી: બીજી તરફ રોહિતના મોત બાદ ગામના લોકો ગુસ્સે ભરાયા હતા. ગામના લોકોએ નાગિનને શોધીને મોતને ઘાટ ઉતારી હતી. બાળકના પીએમ રિપોર્ટમાં મોતનું કારણ સ્નેક બાઈટ જણાવવામાં આવ્યું છે. તેનું આખું શરીર અને નખનો વાદળી રંગના થઈ ગયા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page