Monday, April 15, 2024
Google search engine
HomeNationalસોનાલી ફોગાટના અંતિમ સંસ્કાર સૌ કોઈ રડી પડ્યા, દીકરી માતાના દેહને છોડવા...

સોનાલી ફોગાટના અંતિમ સંસ્કાર સૌ કોઈ રડી પડ્યા, દીકરી માતાના દેહને છોડવા તૈયાર નહોતી

બીજેપી નેતા અને ટિક-ટોક સ્ટાર સોનાલી ફોગાટનો પાર્થિવ દેહ આજે તેના ફાર્મ હાઉસ પર પહોંચ્યો હતો. માતાના મૃતદેહને જોઈને દીકરીએ રીતસરની ચીસો પાડી હતી. માથાને એકટીસે જોતા જોતા દીકરી ચોધારા આંસુએ રડી હતી. લાડલીનું કરુણ આક્રંદ જોઈ હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.

બીજેપી નેતા અને ટિક-ટોક સ્ટાર સોનાલી ફોગાટનો પાર્થિવ દેહ આજે તેના ફાર્મ હાઉસ પર પહોંચ્યો હતો. માતાના મૃતદેહને જોઈને દીકરીએ રીતસરની ચીસો પાડી હતી. માથાને એકટીસે જોતા જોતા દીકરી ચોધારા આંસુએ રડી હતી. લાડલીનું કરુણ આક્રંદ જોઈ હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.

સોનાલીનો પાર્થિવદેહ સવારે 10.15 વાગ્યે અંતિમ દર્શન માટે તેમના ઢંઢૂર ફાર્મ હાઉસમાં લાવવામાં આવ્યો હતો. આ ફાર્મ હાઉસ હિસાર-સિરસા નેશનલ હાઈવે પર હિસારથી 10 કિમી દૂર છે. સોનાલીની અંતિમ યાત્રા 11 વાગ્યે ફાર્મ હાઉસથી ઋષિ નગર સ્મશાન માટે નીકળી હતી. અંતિમ યાત્રા દરમિયાન સોનાલીની એકમાત્ર પુત્રી વસુંધરાએ તેના પાર્થિવ દેહને કાંધ આપી હતી.

ગુરુવારે સાંજે જ ઢંઢૂર ફાર્મ હાઉસમાં જ પાર્થિવદેહનાં અંતિમ દર્શન માટે રાખવા માટે જગ્યા તૈયાર કરવામાં આવી હતી. સોનાલીના ભાઈ રિંકુ અને જીજા અમન પુનિયાએ મોડી રાત્રે મૃતદેહ લઈને હિસાર પહોંચ્યા હતા. મૃતદેહોને હવાઈ માર્ગે ગોવાથી દિલ્હી અને રોડ માર્ગે નવી દિલ્હીથી હિસાર લાવવામાં આવ્યો હતો. સોનાલી 23 ઓગસ્ટે સવારે ગોવાના એક રિસોર્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. પોસ્ટમોર્ટમમાં તેના શરીર પર ઈજાનાં અનેક નિશાન મળ્યાં હતાં.

જેઠ કુલદીપે કર્યો ખુલાસો – સુધીરે સોનાલીને પોતાની પત્ની કહી હતી
આ દરમિયાન સોનાલીના જેઠ કુલદીપે સુધીર સાંગવાનને લઈને મોટો ખુલાસો કર્યો છે. કુલદીપે જણાવ્યું કે સુધીરે ગુરુગ્રામમાં ભાડા પર ફ્લેટ લેવા માટે સોનાલીને પોતાની પત્ની હોવાનું જણાવ્યું હતુ.

પ્રથમ વખત રિસોર્ટથી બહાર કર્લીઝ રેસ્ટોરન્ટમાં ડિનર માટે ગઈ હતી
ગોવા પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે સોનાલી એ જ રિસોર્ટમાં ભોજન કરી રહી હતી, જ્યાં ગોવા પહોંચ્યા બાદ તેનો રૂમ બુક કરવામાં આવ્યો હતો. 22 ઓગસ્ટની રાત્રે તે પ્રથમ વખત રિસોર્ટથી બહાર કર્લીઝ રેસ્ટોરન્ટમાં ડિનર માટે ગઈ હતી અને એ જ રાત્રે તેનું મૃત્યુ થયું હતું. સોનાલીના જીજા અમન પુનિયાએ દાવો કર્યો હતો શું સુધીર તેને ‘કર્લીઝ’ રેસ્ટોરન્ટમાં લઈ ગયો. ત્યાં સોનાલીની તબિયત બગડતાં સુધીર તેની સાથે લેડીઝ વોશરૂમમાં 3 કલાક બેઠો હતો. તે સોનાલીને તાત્કાલિક હોસ્પિટલ કેમ ન લઈ ગયો? તેની તપાસ થવી જોઈએ.

ડ્રગ્સ આપવામાં આવ્યું હતું કે કેમ એ તપાસનો વિષય છે
ગોવાના ડીજીપી જસપાલ સિંહના જણાવ્યા અનુસાર, સોનાલીને ‘કર્લીઝ’ રેસ્ટોરન્ટમાં ડ્રગ્સ આપવામાં આવ્યું હતું કે નહીં? જ્યારે તેની તબિયત બગડી ત્યારે તેને ‘કર્લીઝ’ રેસ્ટોરન્ટના લેડીઝ વોશરૂમ લઈ જવાઈ હતી કે નહીં? આ મુદ્દાઓ તપાસ હેઠળ છે. પરિવાર દ્વારા એફઆઈઆર ન નોંધવાના આરોપો પર ડીજીપીએ કહ્યું હતું કે ફરિયાદની ચકાસણી કર્યા બાદ FIR નોંધવામાં આવી હતી.

સરકારને સીબીઆઈ તપાસ સામે કોઈ વાંધો નથી
હરિયાણાના સીએમ મનોહર લાલે કહ્યું હતું કે જો સોનાલીનો પરિવાર લેખિતમાં માગ કરશે તો રાજ્ય સરકાર આ મામલે સીબીઆઈ તપાસ ચોક્કસ કરાવશે. સરકારને તપાસ કરવામાં કોઈ વાંધો નથી. ઉલ્લેખનીય છે કે સોનાલીનો પરિવાર પહેલા દિવસથી જ આ મામલામાં સીબીઆઈ તપાસની માગ કરી રહી છે. પરિવારે કહ્યું હતું કે તે ગોવા પોલીસની તપાસમાં વિશ્વાસ નથી રાખતો.

સુધીર-સુખવિન્દરને આજે કોર્ટમાં હાજર કરશે
ગોવા પોલીસે ગુરુવારે સોનાલીના ભાઈ રિંકુ ઢાકાની ફરિયાદ પર હત્યાનો કેસ નોંધ્યો છે અને સોનાલીના પીએ સુધીર સાંગવાન અને તેના સાથી સુખવિંદરની ધરપકડ કરી હતી. સોનાલીનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ આઈપીસીની કલમ 302 હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો હતો. ગોવા પોલીસ આજે સુધીર અને સુખવિંદરને કોર્ટમાં હાજર કરશે.

પોસ્ટમોર્ટમ ગોવામાં કરવામાં આવ્યું હતું
સોનાલીના પરિવારની સંમતિથી તેનું પોસ્ટમોર્ટમ ગુરુવારે ગોવામાં કરવામાં આવ્યું હતું, જે 4 કલાકથી વધુ ચાલ્યું હતું. 3 ડોકટરની પેનલ બપોરે 12.45 વાગ્યે પોસ્ટમોર્ટમ શરૂ થયું, જે સાંજે 4 વાગ્યે પૂરું થયું હતું. એનું વીડિયોગ્રાફી કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન સોનાલીનો ભાઈ રિંકુ ઢાકા અને જીજા અમન પુનિયા હોસ્પિટલમાં જ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page